SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ઘર્મકથાનુગ-તીર્થકર સામાન્ય : સૂત્ર ૩૦૭ | ૯૫ I. અરહંત સંભવનાથ ઓગણસાઠ હજાર પૂર્વ ગૃહસ્થાવાસમાં રહીને મુંડિત થયાયાવર્તુ–પ્રજિત થયા હતા. અરહંત શીતલનાથ પંચોતેર હજાર પૂર્વ ગૃહસ્થાવાસમાં રહી પછી મુંડિત—વાવ–પ્રવૃજિત થયા હતા. અરહંત શાંતિનાથ પંચોતેર હજાર વર્ષ ગૃહવાસમાં રહી પછી મુંડિત-યાવતુ–પ્રવૃજિત થયા હતા. અરહંત અરિષ્ટનેમિ ત્રણ વર્ષ કુમારા વસ્થામાં રહી પછી મુંડિત—પાવ-પ્રજિત થયા હતા. અરહંત પાર્શ્વનાથ ત્રીશ વર્ષ ગૃહસ્થાવાસમાં રહી પછી મુંડિત થઈ પ્રજિત થયા હતી. શ્રમણ ભગવાન મહાવીર ત્રીશ વર્ષ ગૃહસ્થાવાસમાં રહી પછી મુંડિત થઈ પ્રાજિત થયા હતા. કુમારકાળ, ૪૩૫. પાંચ તીર્થકર કુમારાવસ્થામાં મુંડિત થઈ– યાવર્તુ-પ્રજિત થયા હતા, જેમ કે – ૧. વાસુપૂજ્ય, ૨. મલિ, ૩. અરિષ્ટનેમિ, ૪. પાર્શ્વનાથ, ૫, મહાવીર. આગરવાસ કાળ૪૩૬. ઓગણીસ તીર્થકરો ગૃહસ્થાવાસ છોડીને મુંડિત થયા હતા, અર્થાત્ તેઓ રાજ્યાદિ ભોગ ભોગવીને પછી પ્રવૃજિત થયા હતા. સર્જાયુ– ૪૩૭. અરહંત કૌશલિક ત્રાષભદેવ ચોરાશી લાખ પૂર્વનું આયુ પૂર્ણ કરીને સિદ્ધ-યાવતુ-સર્વ દુઃખોનો ક્ષય કરી મુક્ત થયા હતા. અરહંત ચન્દ્રપ્રભ દશ લાખ પૂર્વનું પૂર્ણ આયુ ભોગવીને સિદ્ધપાવતુ-મુક્ત થયા હતા. અરહંત શ્રેયાંસનાથ ચોરાશી લાખ વર્ષનું આયુ પૂર્ણ કરીને સિદ્ધ-યાવ-સર્વ દુ:ખોથી મુક્ત થયા હતા. અરહંત ધર્મનાથ દશ લાખ વર્ષનું પૂર્ણાયુ ભેળવીને સિદ્ધ-યાવદૂ-સર્વ દુ:ખેથી મુક્ત થયા હતા. અરહંત કુંથુનાથ પંચાણું હજાર વર્ષનું પૂર્ણાયુ ભોગવીને સિદ્ધયાવતુ–સર્વ દુ:ખોથી મુક્ત થયા હતા. અરહંત મલ્લિનાથ પંચાવન હજાર વર્ષનું પૂર્ણાયુ ભેળવીને સિદ્ધયાવ-સર્વ દુઃખેથી મુક્ત થયા હતા. અરહંત નમિનાથ દશ હજાર વર્ષનું પૂર્ણાયુ ભોગવીને પછી સિદ્ધ-યાવતુ-સર્વ દુ:ખોથી મુક્ત થયા હતા. અરહંત નેમિનાથ એક હજાર વર્ષનું પૂર્ણાયુ ભોગવીને પછી સિદ્ધ-યાવતુ–સર્વ દુઃખોથી મુક્ત થયા. પુરુષાદાનીય અરહંત પાર્શ્વનાથ એક સે વર્ષનું પૂર્ણાયુ ભોગવીને સિદ્ધ યાવતુ-સર્વ દુઃખોથી મુક્ત થયા. શ્રમણ ભગવાન મહાવીર બોંતેર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ યાવતુ-સર્વ દુઃખોથી મુક્ત થયા. ચન્દ્રપ્રભને છદ્મસ્થકાળ– ૪૩૮. ચન્દ્રપ્રભ અરહંત છ માસ પયત છઠ્ઠા રહ્યા હતા. કલ્યાણકે– ૪૩૯. અરહંત પદ્મપ્રભના પાંચ કલ્યાણક ચિત્રા નક્ષત્રમાં થયેલા, તે આ પ્રમાણે– ૧. ચિત્રા નક્ષત્રમાં દેવલોકમાંથી વીને ગર્ભમાં આવ્યા. ૨. ચિત્રા નક્ષત્રમાં જન્મ્યા. ૩. ચિત્રા નક્ષત્રમાં પ્રવૃજિત થયા. ૪. ચિત્રા નક્ષત્રમાં અનંત, અનુત્તર, અવ્યાબાધ, પૂર્ણ, પરિપૂર્ણ કેવળ-જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયું. ૫. ચિત્રા નક્ષત્રમાં નિર્વાણ પામ્યા. પુષ્પદંત સુવિધિનાથ અરહંતના પાંચ કલ્યાણકો મૂલ નક્ષત્રમાં થયા, જેમ કે-૧. મૂલ નક્ષત્રમાં દેવલોકમાંથી ચ્યવીને ગર્ભમાં આવ્યા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy