SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ તેઓ રોજ વહેલી સવારે ફરવા નીકળતા. તેઓ નવપ્રભાતને હર્ષભેર આવકારતા, ઉષાને વધાવતા અને પ્રભાતના કોમળ પ્રકાશને તેઓ માનથી જોતા હતાં. તેમને વિચાર આવતો, ‘જીવન એ ચમત્કાર છે. રાતે ઘસઘસાટ ઊંઘી જવું અને સવારે પ્રફુલ્લ મને જાગૃત થવું એ ચમત્કાર છે.” સુષુપ્તિ અને જાગૃતિ એ અભૂત અનેરો અનુભવ છે. ‘આ ક્ષણે હું જાગૃત છું. આ ક્ષણ મારા માટે સુવર્ણમુદ્રા છે. આ ક્ષણ વીતશે. વીતેલી ક્ષણ ફરી કદી આવતી નથી. ક્ષણમાત્ર અમૂલ્ય છે તેથી હું પ્રમાદ કરીશ નહિ.' ‘મારે ભૂતકાળ નથી.' વર્તમાનમાં હું જીવું છું. મારે વર્તમાનનો ઉપયોગ કરવો છે. કળાકાર જેમ આંગળિઓ વડે કલાને ઘાટ આપે છે એમ મારે સુખશાંતિ ઈચ્છતી માનવજાતને ઘાટ આપવાનો છે.' વર્તમાન ભવિષ્યને જન્મ આપે છે પણ ભવિષ્ય મારું નથી.' ‘આ ક્ષણ સરકી જાય ત્યાં સુધી મારી છે. આજનો દિવસ રળિયામણો છે.” એ દિવસની ક્ષણ ક્ષણનો મારે ઉપયોગ કરવાનો છે. સ્થિર પગથી ચાલવાનું છે. મન મકકમ બનાવવાનું છે. હવે આ ભૂમિ મારું પ્લેટફોર્મ છે, મંચ છે. એ મંચ પરથી હું સતત સત્ય અને અહિંસાના સનાતન મૂલ્યો વિશે કહીશ.” ન્યોયોર્કમાં તેઓ ધ્યાન ધરતા શીખવતાં. જૈન યોગ વિશે જ્ઞાન આપતાં. એમની પ્રવૃત્તિઓ જોઈને એકવાર ન્યુયોર્ક ટાઈમ્સ લખ્યું હતું. ‘તે શ્રદ્ધાના દ્વાર ખોલીને સ્વચ્છ હવાને હૃદયમાં દાખલ કરી દે છે.' ન્યુયોર્કમાં એમની પ્રવૃત્તિનો વિકાસ થઈ રહ્યો હતો. તેઓ રોજ વ્યાખ્યાન આપતા હતા. પરદેશીઓને જીવમાત્ર તરફ આદર રાખવાનું કહેતા હતા. જુદા જુદા મંડળો અને દુનિયાના જુદા જુદા ધર્મસ્થાનકોમાં ચિત્રભાનુ વ્યાખ્યાન આપવા જતા હતા. ન્યુયોર્ક યુનિવર્સિટીમાં પૂર્વની શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001805
Book TitleShantipathno Yatri Swapnadrushta Chitrabhanu
Original Sutra AuthorN/A
AuthorClare Rosenfield
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy