SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે પૂર્ણવિશ્વાસ. બે મિત્રો કદી એકબીજાની હરીફાઈ કરશે નહિ. હરીફાઈ રહિત સમાજમાં ઈર્ષા અને વેર રહી શકતા નથી. ચિત્રભાનુજીના વ્યાખ્યાનમાં કાળા અને ધોળા માનવીઓ આવતા હતા. તેઓ કહેતા, ‘પશ્ચિમ પાસે સાધન સગવડતા છે પણ જીવનનો માર્ગદર્શક પંથ નથી. ફકત ભૌતિક સુખ સમૃદ્ધિ મનને શાંતિ આપી શકતું નથી. પૂર્વ પાસે આદ્યાત્મિક વારસો છે જે સંતોષપૂર્વક જીવતા શીખવીને આત્માનો વિકાસ સાધવા માર્ગ બતાવે છે. પણ પૂર્વ પાસે જીવનની પ્રાથમિક જરૂરિયાત પૂરી કરવાના સાધનો નથી. જો પૂર્વ અને પશ્ચિમ એક બનશે તો બંને એક બીજાના પૂરક બનશે. એમણે હેગમાં વેજીટેરિયન કોન્ફરન્સમાં હાજરી આપી હતી. એમણે હેગમાં કહ્યુ હતું, ‘જીવન જીવવા માટે ખોરાક જરૂરી છે. ખોરાક વિના દેહ ટકતો નથી. પણ જેને ઉર્ધ્વગામી જીવન માર્ગે જવું છે, આત્માનો વિકાસ કરવો છે એમને શાકાહારી ખોરાક લેવો જોઈએ. “જે દેહ હિંસા કરીને મેળવેલ ખોરાકથી પોષણ પામે છે એનું મન કદી અહિંસક વિચારોનું કેન્દ્ર બનશે નહિં. લોહી રેડીને મેળવેલ ખોરાક ઉમદા વિચારોનું સંગ્રહસ્થાન બની શકે નહિ. માંસાહારી માનવીનું મન તામસી બને છે.” ‘શાકાહારી ખોરાક લેનાર માનવી પૂર્ણ તંદુરસ્તી પ્રાપ્ત કરી શકે છે.” “વળી કુદરતે માનવીને બીજા જીવો કરતાં ઉચ્ચ સ્થાને મુક્યા છે, પાટવી કુંવરની ફરજ છે કે પોતાના સૌ નાના બંધુઓની સારસંભાળ રાખે તેથી એણે જીવમાત્રનું અને જેમાં જીવન છે એ વનસ્પતિનું પણ રક્ષણ કરવું જોઈએ. ‘પોતાના ખોરાક માટે જે માનવી પ્રાણીને મારે છે એજ માનવી ધન કે જમીન માટે ખૂન કરતાં અચકાતો નથી, કારણ કે લોહી રેડવામાં એને દુઃખ થતું નથી.” - ८४ શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ | For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001805
Book TitleShantipathno Yatri Swapnadrushta Chitrabhanu
Original Sutra AuthorN/A
AuthorClare Rosenfield
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy