SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ શક્તિ જીવંત રહેતી. એ જ્ઞાન પામવા આવી હતી. એને જોઈ તેજ દિવસે હૃદયમાં તોડફોડ મચી હતી. હૃદમાં વિસ્ફોટના ભયંકર ભડાકા થતા હતા. ીરે ધીરે એ સ્નેહની લાગણીએ કોમળતા અને મધુરતા ધારણ કરી હતી. પણ એ મૃદુ લાગણી પોલાદી શક્તિ ધારણ કરીને મગજને છિન્ન-ભિન્ન કરવા ઈચ્છતી હતી. એ અલૌકીક, દૈવી લાગણી વ્યક્ત કરવા હૃદય પાંસળીના બંધનો તોડીને બહાર આવવા ઈચ્છતું હતું. જે કોલેજ જીવનની સખીરૂપે આવી હતી તેજ પ્રમોદા શાહ રૂપે આવી હતી. જે પ્રેમ કોલેજ જીવનમાં અનુભવ્યો હતો અને જે પ્રેમ કુદરતે ચિતામાં સળગાવી દીધો હતો એ પ્રેમ અગ્નિમાં તપીને વધુ પરિપક્વ થઈને શુદ્ધ થઈને હૃદયને કોઈ ખૂણે બેઠો હતો. એ ફરીથી જાગૃત થઈ ગયો હતો. ‘જે કર્મ ભોગવવાના છે એ કર્મ છોડવાના નથી. કર્મ ભોગવ્યા સિવાય છૂટકો નથી', પિતાના શબ્દો યાદ આવતા હતા. ‘મારા કર્મ મને એવા માર્ગે લઈ જતા હતાં જે અનુભવાતીત હતા. રૂઢીયોની પેલી પાર, વાડાઓ અને સીમાઓ તોડીને મારા કર્મ મને મહાખંડની આરપાર લઈ જનાર નીવડશે.’ એ કર્મને તાબે થવાની ઈચ્છા થતી હતી. સંસાર છોડયો હતો. ફરી સંસાર શા માટે શરૂ ન થઈ શકે? કદાચ આ સંબંધ જન્મ જન્માંતરનો હશે. એ સંબંધનો વિકાસ હશે. એ સંબંધ આનંદદાયક હશે. વળી ભોગ ભોગવાશે, કર્મ બંધન તૂટશે અને ફરી આધ્યાત્મિક પંથે પ્રયાણ કરીશ. સંસારી નહિ, સાધક બનીશ. ચિત્રભાનુ દંભી જીવન જીવવા ઈચ્છતા ન હતા તેથી એકવાર પ્રમોદા સહકુટુંબ થાણા મળવા ગયા ત્યારે એમણે પોતાનો મનોભાવ જણાવ્યો. ८० Jain Education International શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001805
Book TitleShantipathno Yatri Swapnadrushta Chitrabhanu
Original Sutra AuthorN/A
AuthorClare Rosenfield
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy