SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્તિપથનો યાત્રી સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું - પુત્રનો જન્મ થયો. હૈયામાં હેતની હેલી ચડી. થાનેલામાંથી દૂધની ધાર થઈ અને સ્નેહાળ હોઠમાંથી અમૃતવાણી સરી :સિધ્ધોતિ બુધ્ધોસિ નિરંજન સિ સંસાર માયા પરિવર્જિતોસિ | સંસાર સ્વપ્ન ત્યજ મોહનિદ્રા મદાલસા વાક્યમવાચ શૈવમ માતા મદાલસાએ આ હાલરડું ગાયું હતું. માતા ચુનિબાઈના મુખમાંથી એવા જ શબ્દો સરી પડયાં. કારણ કે એની કૂખે ખેલવા રૂપરાજેન્દ્ર આવી ગયો હતો. ગુરૂદેવ ચિત્રભાનુનું બચપણનું નામ રૂપરાજેન્દ્ર હતું. માને મન એ રૂપરૂપનો અંબાર હતો. માતા ચુનીબાઈ નમ્ર અને સાત્વિક સ્વભાવનાં હતાં. ધર્મના રંગે રંગાયેલી માતાએ પુત્ર સામે સ્નેહ નિતરતી નજર નાખી અને હૃદયમાંથી આપોઆપ વાણી વહેવા લાગી, 'હે આત્મા; તું પૂર્ણ છે, તું જ્ઞાતા છે, તું પવિત્ર, નિર્દોષ અને રાગદ્વેષ રહિત રહેજે.' આ પડછાયા જેવી દુનિયાથી તું મુક્ત છે.” હે પૂર્ણાત્મા! આ દુનિયા અંતહીન સ્વપ્ન છે. તેથી તું જાગૃત રહેજે' આ રીતે માતા પુત્રને ધાર્મિક સંસ્કારનું પાન કરાવી રહી હતી ત્યારે પવિત્ર દિલના, ભદ્રિક છોગાલાલ ઓરડા બહાર ઉભા રહીને જિનપ્રભુનું સ્મરણ કરતા હતાં. એમને ધર્મમાં અપાર શ્રદ્ધા હતી. -- - -- શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001805
Book TitleShantipathno Yatri Swapnadrushta Chitrabhanu
Original Sutra AuthorN/A
AuthorClare Rosenfield
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy