SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ અને કોપી પણ નથી મોકલતા. મેં જીવનકથાનો અનુવાદ કરવાનું નક્કી કર્યું. ચિત્રભાનુજી સાથેનાં આ પ્રથમ મિલનને અંતે મેં એમને કહ્યું કે ગુરૂદેવ ૧૯૪૮માં આપ બોટાદમાં ચોમાસાનાં ચાર મહિના રહ્યા હતાં. ત્યારે મેં આપના વ્યાખ્યાનો રસપૂર્વક સાંભળ્યા હતાં. આજે ૧૯૯૧ની સાલમાં મળું છું. આ ય તે લેખ લખ્યાં હશે ને? ત્યાર પછી મેં મારા નાના અને પિતાજી વિશે કહ્યું. એમને બધું જ યાદ હતું. બીજા મિલન વખતે ૧૯૫૦ આસપાસનો મારા પિતાજી સાથેનો ફોટો પણ મને આપ્યો. જીવન કથાનો અનુવાદ થઈ ગયો પછી મળ્યો શ્રી જેહાન દારૂવાળાને. તીક્ષણ દૃષ્ટિ, અપૂર્વ પ્રતિભા અને માનવીને મળતાં જ એને પગથી માથા સુધી ઓળખી કાઢવાની એમના જેવી સૂઝ મેં ક્યાંય જોઈ નથી. એમણે મારી વાત સાંભળી અને જીવનકથા લેવા હાથ લંબાવ્યો. શ્રી જેહાન દારુવાળાનો આભાર માનવા અવનીના કયા આરેથી શબ્દોને ઢૂંઢું ? સોરી, એમનો આભાર માનવા મને શબ્દો મળતાં નથી. અને આભારી છું ‘મુંબઈ સમાચાર’ના વાચક મિત્રોનો એમણે તો મને ઢગલે ઢગલાં પ્રેમ આપ્યો છે. હું રોઝન ફિલ્ડનો પણ આભારી છું. તેમણે પૂજ્ય શ્રી ચિત્રભાનુજીના જીવનનો ઊંડો અભ્યાસ કરીને આ જીવનકથા લખી છે. એ માટે બેવાર તો તે ભારત આવ્યાં હતાં. આ જીવનકથા ૧૯૮૦ સુધીની છે. હસમુખ શેઠ ૧૪-જગર નિવાસ સાયન હૉસ્પિટલ સામે, મુંબઈ-૪૦૦ ૦૨૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001805
Book TitleShantipathno Yatri Swapnadrushta Chitrabhanu
Original Sutra AuthorN/A
AuthorClare Rosenfield
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy