SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ એક મોચીને સપનું આવ્યું કે એની દુકાન પર પ્રભુ પધારવાના છે. એ વહેલો તૈયાર થઈને દુકાને જઈને બેઠો. સવારે એક વૃદ્ધ આવ્યો. એ થાક ઉતારવા મોચીની દુકાને બેઠો. એ અત્યંત ગરીબ હતો. એના ફાટેલા બૂટ જોઈને મોચીએ નવાબૂટ આપ્યાં. બપોરે ભૂખના દુ:ખથી ભાંગી પડેલી સ્ત્રી આવી. મોચીએ એને જમાડી. સાંજે રડતો રડતો એક બાળક આવ્યો. મોચીએ એને તેડયો અને એના ઘરે મૂકી આવ્યો. રાત પડી મોચી કરુણ કંઠે બોલ્યો, “આ તે કેવું કહેવાય પ્રભુ, તમે આજે મને મળવા આવવાના હતા. એ ભૂલી ગયા CCC એને મધુર કોમળ અવાજ સંભળાયો, ‘ઉદાસ ન થા ભક્ત. મેં મારું વચન પાળેલ છે. તે બૂટ પહેરાવ્યાં એ ગરીબ વૃદ્ધ હું હતો. તે પેટ ભરીને જમાડી તે સ્ત્રી હું હતો. જેને વહાલથી તેડીને તું એના ઘરે મૂકી આવ્યો એ બાળક પણ હુંજ હતો. આ માનવ સેવાનો આદર્શ ચિત્રભાનુજીના દરેક કાર્યમાં મેં જોયો છે. એમની જીવનકથામાં મેં વાંચ્યો છે. એ કથા મળી એમાંય યોગનુયોગ કામ કરી ગયો છે. જ્યારે સી.એમ. સાથે વાત થઈ એ દિવસોમાં કાલબાદેવી પરથી Hobson અને Jobon ને ત્યાંથી નવા જૂનાં પુસ્તકોનું લિસ્ટ આવ્યું. એમાં ચિત્રભાનુજીની જીવન કથા પણ હતી. તે જ દિવસે ખરીદી આવ્યો. પછી મળ્યો ચિત્રભાનુજીને. મારો પરિચય આપ્યો. સંક્ષિપ્તમાં અનુવાદ કરવાની રજા માગી. તેઓ બોલ્યા, “ભાઈ, એ પુસ્તક મારું નથી. મારી કોઈ ચીજ નથી. કર્મમાં લખ્યું હતું તેથી દસ વરસ સંસાર ભોગવ્યો. હવે હું સંસારમાં સાધક રહીને એનાથી અલિપ્ત રહું છું. ધ્યાન ધરું છું. મૌન રહું છું. લેખન કરું છું અને દુનિયામાં મહાવીરનો અહિંસાનો સંદેશ પહોંચાડવા ઘૂમતો રહું છું. દુનિયાના લોકો શાકાહારી બને એવા પ્રયત્ન કરું છું. તમે અનુવાદ માટે રજા લેવા આવ્યા છો? અનેક મેગેઝીનો તો, મારુ જે છાપવું હોય તે છાપે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001805
Book TitleShantipathno Yatri Swapnadrushta Chitrabhanu
Original Sutra AuthorN/A
AuthorClare Rosenfield
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy