SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ C - -- - - --- - અમે સાંભળળ્યું છે કે તમે કોઈ અવિચારી પગલું ભરી રહ્યા છો. અહીં તમારા અસંખ્ય ભક્તો છે. બારેય વર્ણના લોકો તમારી તરફ માન ધરાવે છે. પરદેશ જવાનું નક્કી કરીને તમે તમારી કીર્તિ, તમારો માનમોભો અને તમારું મુનિપણું હોડમાં મૂકી રહ્યા છો. એ પણ અજાણ્યા યુવાનો માટે! બસ, આથી વધારે અમારે કંઈ કહેવાનું નથી. અમારી સૌની ઈચ્છા છે કે તમે પરદેશ ન જાવ.' ‘તમારી એ વાત તો ખરી છે કે દરિયાપારના માનવીઓને હું મળ્યો નથી. તેથી તેઓ અજાણ્યાં છે પણ હું તો જીવમાત્ર તરફ અનુકંપા રાખવાનું બચપણથી શીખ્યો છું.. જૈન ધર્મ આ જ જ્ઞાન આપે છે. દરેક માનવીમાં જે ચેતન તત્વ વસે છે તે એક સમાન છે. એ રીતે તેઓ અને હું અજાણ્યાં નથી. સૌ એક છીએ. તેઓ દરિયાની પેલી પાર રહે છે. તેથી એમનામાં રહેલ ચેતનતત્વમાં ફેર પડી જતો નથી.” ‘પણ એ ન ભુલશો કે તમે પગે ચાલીને સફર કરનાર છો, વાહનમાં બેસવું એ તમારા માટે વર્જ્ય છે. તમે નિયમોનો ભંગ કરી રહ્યા છો.' નિયમો જડ ન હોવા જોઈએ. મારું સ્વપ્ન દર્શન આ પગલું ભરવા મને પ્રેરે છે. આ કીર્તિ, આ માનમોભો અને વાહ-વાહ આ સ્વપ્ન દર્શન આગળ હવા-હવા જેવા વામણા લાગે છે. લાખો જીવનના અભયદાનમાં નિમિત્ત થવા મારા આ સ્વપ્ન દર્શનને તમારા આશવાદ ખપે છે. સ્વપ્ન દર્શન અને પ્રેરે છે. લાખો જીવોના અભયદાનમાં નિમિત્ત થવા પ્રેમ પ્રેરે છે. મને તો જેવો તમારા પર પ્રેમ છે એવો જ પ્રેમ સર્વ માનવી માટે છે. તમે મને ખરા હૃદયથી સલાહ આપવા આવ્યા છો એ બદલ હું તમારો આભાર માનું છું.' હું જાણું છું ભાઈ, આજે તમે મને સ્વીકારશો નહી. મારુ આજનું પગલું ગમશે નહી. સમગ્ર વિશ્વમાં જે માનવીઓએ ન ૬૮. શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001805
Book TitleShantipathno Yatri Swapnadrushta Chitrabhanu
Original Sutra AuthorN/A
AuthorClare Rosenfield
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy