SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ નવા યુગના એંધાણ તેઓ પારખી શક્યા નથી ૧૦ એમનું વિચારચક્ર અને મનોમંથન ચાલતું હતું. લાગતું હતું કે પોતાનું સપનું સાકાર થઈ રહ્યું છે. પરદેશ જવા મન ઉછળવા લાગ્યું. સાગરની પેલે પાર સત્ય અને અહિંસાનો મહાવીર સંદેશ પહોંચાડવો હતો. સ્વધર્મનું જ્ઞાન ગોરાઓને આપવું હતું. અહિંસાનો પ્રચાર કરી હિંસાથી ત્રસ્ત સમાજના મનને શાંતિ આપવી હતી. ચિત્રભાનુજીએ દરિયો ખેડવાનો નિર્ણય કર્યો એ સમાચાર જાહેર થયાં. એક સાંજે થોડાક વૃદ્ધ હિતેચ્છુઓ અને સ્નેહાળ ભક્તો મળવા આવ્યા. આ ભકતો મુનિના વ્યાખ્યાનમાં નિયમિત આવતા હતા. તેથી મુનિ તરફ અનન્ય ભાવ હતો, કુણી લાગણી હતી. ‘આવો,કેમ, મજામાં છો ને ?' આટલે મોડેથી કેમ આવ્યાં છો, કુશળ છો ને ?' મુનિએ ભક્તોને આવકાર્યા. ‘અમે તમારા તરફ આદરને લીધે એક નમ્ર વિનંતી કરવા આવ્યા છીએ. તમને સલાહ આપવાનો અમને અધિકાર નથી છતાં ય અમે અનાધિકાર ચેષ્ટા કરી રહ્યા છીએ.’ ‘અરે મારા ભાઈઓ, તમારે જે કહેવું હોય તે દિલ ખોલીને કહો. મને ખરાબ લાગશે નહિ.' ‘અમને તમારી તરફ ઉડી, સ્નેહભરી લાગણી છે. અને તમારા જ્ઞાનથી પ્રભાવિત થયા છીએ. આજે તમારા ભક્ત તરીકે આવ્યા છીએ.’ ‘તમારી મમતા માટે મને માન છે' શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ Jain Education International For Private & Personal Use Only ૬૭ www.jainelibrary.org
SR No.001805
Book TitleShantipathno Yatri Swapnadrushta Chitrabhanu
Original Sutra AuthorN/A
AuthorClare Rosenfield
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy