SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ કરૂણા છે એ માનવી વરસતા વાદળા જેવો છે. એ વાદળ માનવીને આનંદ આપે છે. અને ભૂમિને નવજીવન આપે છે. ભૂમિમાં ધરબાયેલા બીજને નવજીવન આપે છે.' ‘તમે વાદળ જેવા બનો.” ચિત્રભાનુ કર્મ વિશે કેદીઓને સમજણ આપતા હતા. એમણે કહ્યુ હતું, જેવા કર્મ કરશો એવું ફળ મળશે. સૌ કોઈને કર્મભોગવવા પડે છે. એમાંથી કોઈ બચી શકતું નથી. તમારા પૂર્વના કર્મોને લીધે તમે અહીં છો. કદાચ તમે અત્યારે નિર્દોષ હશો તો પણ તમે બીજા કોઈ કર્મનું ફળ ભોગવી રહ્યા છો એમ વિચારજો.' | મુનિએ આ રીતે જેલમાં જઈને એમના જીવનને નવો મોડ આપવા પ્રયત્ન કર્યો હતો. એમનામાં સદ્ભાવનો સંચાર કર્યો હતો. આમ તો મુનિ, સંત સાધુની જીવન સફર ઉર્ધ્વગામી હોય છે. સંસારના સર્વ મોહ ત્યાગીને, અપરિગ્રહ વ્રત ધારણ કરીને અને બધી ઈન્દ્રિયોને કાબૂમાં લઈને તેઓ જીવનપંથ પર સાચવીને ડગ માંડતા હોય છે. પણ હૃદયને કચરી શકાતું નથી. લાગણીઓને સળગાવીને ભસ્મ કરી શકાતી નથી. આ કથનને સત્ય પુરવાર કરતો એક પ્રસંગ ભગવાન મહાવીરના જીવનમાં બન્યો હતો. મહાવીર અને એમના શિષ્ય ગૌતમ વચ્ચે અતૂટ નાતો હતો. પ્રભુ જાણતા હતા કે ગૌતમ પોતાના તરફ અનહદ માયા મમતા રાખે છે. તેથી જ્યારે એમણે જાણ્યું કે હવે મારો આત્મા દેહત્યાગ કરશે. એ સમયે પ્રભુને વિચાર આવ્યો કે મારો આત્મા દેહત્યાગ કરશે એ દ્રશ્ય ગૌતમ જોઈ શકશે નહિ. એ ક્ષણ એના માટે મહાકષ્ટદાયક થશે. તેથી એમણે પોતાના શિષ્યને બીજે ગામ બોધ આપવા માટે મોકલ્યો. ગૌતમ પ્રભુથી દૂર હતા. પ્રભુની મુક્તિના સમાચાર આપ્યા. તેઓનું અંતર લોહીલોહાણ બની ગયું એમના હૃદયમાં મર્મઘાતક - - - પર શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રા ચિત્રભાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001805
Book TitleShantipathno Yatri Swapnadrushta Chitrabhanu
Original Sutra AuthorN/A
AuthorClare Rosenfield
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy