SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ લાગણીઓને ભસ્મ કરી શકાતી નથી ૭ મુનિ શ્રી ચિત્રભાનુજી માનતા હતા કે ગુનેગારમાં પણ પ્રભુતા છે. તેથી તેઓને તક મળતા સાબરમતી જેલમાં કેદીઓને વ્યાખ્યાન આપવા જતા હતા. એકવાર તેઓ સાબરમતી જેલને દરવાજે પહોંચ્યા એમને વિચાર આવ્યો, ‘આપણે બધા કેદીઓ છીએ. તેઓ જેલનાં સળિયા પાછળ છે તેથી કેદીઓ છે. આપણે આપણી લાલસા, મોહ અને વાસનાના કેદી છીએ. ગુનો કરીને જેલમાંથી છૂટવું સહેલું છે. પણ વાસના અને મોહરૂપી જેલમાંથી છૂટવું દુષ્કર છે. જેલમાં મુનિ નાની વાર્તાઓ, બોધદાયક ટૂચકાઓ અને દલીલો કરીને કેદીઓને મનમાં સળગતી વેરની આગને શાંત કરવા સમજાવતા હતા. એમને કહેતા, ‘તમે અહીંથી મુક્ત થાવ ત્યારે બહાર જઈને કોઈ તરફ વેર ન રાખતા. તમને જેણે અહીં મોકલ્યા છે એમ માનતા હો એને પણ માફ કરો. યાદ રાખજો, વેર એ ઝેર છે. ઝેર તમને જ ભરખી જશે. ભૂલેચૂકે દુશ્મનાવટનો જૂનો હિસાબ સમજવાનો પ્રયત્ન ન કરતા. તમારા ભલા ખાતર અને તમારા વિના પરેશાન બની ગયેલ તમારા કુટુંબીજનો માટે મનમાં સંઘરેલ વેર અને દ્વેષને હાંકી કાઢો; એને ઉખેડી નાખો, એને દૂર ફેંકી દેજો.’ ‘જે બની ગયું છે તે ભૂલી જો’ ‘જે માફ કરી જાણે છે એ પ્રભુને વહાલા છે.’ જે પ્રેમ અને અનુકંપાથી જીવે છે, જેનામાં દયા અને શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ Jain Education International For Private & Personal Use Only ૫૧ www.jainelibrary.org
SR No.001805
Book TitleShantipathno Yatri Swapnadrushta Chitrabhanu
Original Sutra AuthorN/A
AuthorClare Rosenfield
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy