SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ વિષે કહ્યું છે, 'સાંભળો, જે કોઈથી ડરતો નથી, જે કોઈનો તિરસ્કાર કરતો નથી, જે નિસ્પૃહ છે એ બ્રાહ્મણ છે. જે જીવમાત્રનું રક્ષણ કરે છે એ બ્રાહ્મણ છે. જે ચીજ આપવામાં ન આવે એને હાથ લગાડતો નથી એ બ્રાહ્મણ છે. સંસારના સુખને જે જળમાં રહેલ કમળની જેમ તટસ્થ ભાવે માણે છે તે બ્રાહ્મણ છે.' એક માનવીને અડાય, બીજા માનવીને ન અડાય આ ભાવના મુનિને પસંદ ન હતી. તેઓ ભાવનગરમાં હતા. એમણે જાણ્યું કે મહાવીરને પૂજનારા જુદા જુદા જમે છે. ભાવસાર અને વાણિયાઓના બે ચોકા હતા. મુનિએ બંને કોમને એકઠી કરી. સમજાવી અને સાથે જમવા માટે તૈયાર કરી. થોડો વિરોધ થયો પણ મહાવીરવાણી સાંભળીને વિરોધીઓનો વિરોધ શાંત થઈ ગયો. એમને સમજાયું કે જૈનધર્મમાં નાતજાતનો કદી સ્વીકાર કરવામાં આવ્યો નથી. - તેઓ બોટાદમાં ચાતુર્માસ હતા. એમના વ્યાખ્યાનમાં સૌ કોઈ આવતું હતું. માટલા બનાવીને પોતાનો કામ ધંધો કરનાર કુંભાર જ્ઞાતિના ભાઈઓ પણ આવતા હતા. એમના મનમાં એક ભાવ જાગ્યો, એમણે સંકોચ સહ મુનિને જણાવ્યું કે આપ અમારા આંગણે આવો અને અમારા રસોડે બનાવેલી ચોકખી રસોઈને વહોરી જાવ. કુંભારને ત્યાં ઉચ્ચવર્ગના લોકો ખાતાપીતા ન હતા. એ ભેદભાવ પર ઘા કરવા એમણે કુંભકાર ભાઈઓનું આમંત્રણ સ્વીકાર્યું અને એમના ઘરે બનેલ ખોરાક વહોરીને લાવ્યા. ગામમાં છાનોછપનો ગણગણાટ થયો હતો. મુનિ જાણતા જ હતા કે પરાપૂર્વથી ચાલ્યા આવતા રીવાજો તોડવા હશે તો મારે હિંમતભર્યા પગલાં ભરવા જ પડશે. બીજે દિવસે વ્યાખ્યાન શરૂ થયું. એ વ્યાખ્યાનમાં મુનિએ કહ્યું કે મહાવીર પ્રભુએ એકવાર પોતાની જાતને પૂછ્યું હતું, ‘તુ - - --- - -- - ---- - - ------- શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું Jain Education International For Private & Personal Use Only ૪૯ www.jainelibrary.org
SR No.001805
Book TitleShantipathno Yatri Swapnadrushta Chitrabhanu
Original Sutra AuthorN/A
AuthorClare Rosenfield
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy