SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ થઈ રહ્યો છે. તેઓ બારડોલી ગામમાં હતા. અહીં એમણે યુવાનોને વ્યાખ્યાન આપ્યું. મુનિ બોલ્યાં કે નમસ્તે દોસ્તો, મારા યુવાન મિત્રો, જેમના અંગોમાં યૌવનનો ધોધ વહે છે અને જે શક્તિના ઉછળતાં કુવારા છે એવા તમને મળતાં હું આનંદ અનુભવું છું. તમારા બાવડામાં એવી તાકાત છે કે તમે ધારો તો સાગરને તળિયે જઈને મોતી લાવી શકો છો. પણ, બરાબર સાંભળો મિત્રો, જો તમે ધારો તો. પણ ફક્ત મનમાં ધારીને વિચાર કરીને બેસી રહેવાથી મોતી મળવાના નથી. મોતી મેળવવાના સપના જોવાથી મોતી મળશે નહિ. એ માટે તમારે સમુદ્રનો તાગ લેવા ડૂબકી મારવી પડશે. અને ડૂબકી મારવા માટે હિંમતની જરૂર પડશે. . તમારે જે કરવાનું છે, જે મેળવવાનું છે તે અત્યારે અને આજે જ. આવતી કાલે તો યુવાની વીતી જશે. પછી તમે સાગર કિનારે બેસીને છબછબિયાં કરી શકશો, છીપલાં વીણી શકશો પણ તળિયે જઈને તાગ લાવી નહિ શકો. આ ક્ષણ છે તમે જે ધારો તે કરી શકશો. માટે આજે જ કંઈક શરૂ કરો. એક કલાક વ્યાખ્યાન ચાલ્યું પાણ જેમના અંગોમાં જુવાનીનું જોમ છે. જે ચેતનાના ફુવારા છે તેવા યુવાનો સ્થિર, શાંત બેસીને પ્રવચન સાંભળતા રહ્યા. યુવાનોને લાગ્યું કે આ મુનિના વ્યાખ્યાનમાં કોરો ઉપદેશ નથી પણ રસિક ભાષામાં આપણા જીવનને નવી દિશા આપવાની શક્તિ છે. એ વ્યાખ્યાન પુરું થયું પછી યુવાનોને મુનિના વ્યાખ્યાનનું ઘેલું લાગ્યું. અનેક યુવાનોને એમના વ્યાખ્યાનથી પ્રેરણા મળી. ૪૦ શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001805
Book TitleShantipathno Yatri Swapnadrushta Chitrabhanu
Original Sutra AuthorN/A
AuthorClare Rosenfield
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy