SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાધુ હંમેશા ખુલ્લા પગે રહે છે. મુનિ જ્યારે શાંતિપૂર્વક, એકાંતે, એકલા ધીરે ધીરે ચાલતા ત્યારે એમને લાગતું કે હું કુદરતનો સહવાસ માણી રહ્યો છું. એમના તળિયાને મા જેવી સ્નેહસભર ભૂમિનો જીવંત સ્પર્શ થતો ત્યારે એમને લાગતું કે આ માતા જ છે કારણ કે આ ભૂમિ વૃક્ષોને જન્મ આપે છે. લીલાછમ છોડવાને પેદા કરે છે. એ સિવાય પોતાના ગર્ભમાંથી ખનિજોને પાળી પોષીને તૈયાર કરે છે. ભૂમિના સંપર્કથી મુનિને લાગતું કે હું કુદરત સાથે એકતા અનુભવું છું. મારી અને કુદરત વચ્ચે સુમેળ છે. કોઈવાર મુનિ ભુમિ પર પોચા ડગ ભરતાં ભરતાં વિચારતા કે બાળક ચાલતા શીખે ત્યારે અનેક પછાડી ખાય છે. દરેક મુનિએ બાળકના આ પ્રયત્નને નજર સામે રાખવો જોઈએ. મુનિની ઉર્ધ્વયાત્રામાં સતત જાગૃત રહેવાનું છે. મન પછાડી ખાય તો પણ મુનિએ અટકવું ન જોઈએ મુનિ માનવુ છે. એ ભૂતકાળ સહેજમાં ન ભૂલી શકે, સ્નેહીઓની યાદ એને સતાવી શકે છે, પોતાનું ઘર અને પ્રિય સ્થળો વગેરેને ભૂલીને મુનિએ ચાલતા રહેવું જોઈએ. આ રીતે ચાલતા ચાલતા એ શાશ્વતનો મુસાફર બની શકે છે. એ જ રીતે જે સનાતન અને નિત્ય છે. એને પામી શકાય છે. પોતાની જાતનું નિરીક્ષણ કરતા એમણે અનુભવ્યું કે સીધા, ટટાર ઊભા રહેવાથી દેહમાં રહેલ શક્તિનો સ્રોત મન સુધી પહોંચે છે. આ સ્થિતિમાં જ્ઞાનતંતુઓ કરોડ રજ્જુને તથા શક્તિ પેદા કરનાર દેહમાં આવેલ સાત બિંદુને જોડે છે. સીધા ઉભા રહેવાથી એ બિંદુ કાર્યરત બને છે. એમને જોયું કે દેહ એ ટેવોનું પોટલું છે. અયોગ્ય કે ખોટી ટેવો દૂર કરવા સારી અને યોગ્ય ટેવો પાડવી જોઈએ. સારી ટેવો પાડવા માટે મુનિ રોજ રાતે દિવસે કરેલ સર્વ પ્રવૃત્તિને યાદ કરતા. મનમાં એનો હિસાબ માંગતા. તેઓ યાદ શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ Jain Education International For Private & Personal Use Only ૩૫ www.jainelibrary.org
SR No.001805
Book TitleShantipathno Yatri Swapnadrushta Chitrabhanu
Original Sutra AuthorN/A
AuthorClare Rosenfield
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy