SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ સુખ અને પૂર્ણ આનંદ છું.” “હું હતો, હું છું અને હું હોઈશ.' મુનિનું વિચારચક્ર ચાલુ રહેતું. તેઓ વિચારતા, હું મારી લાગણી અને મારા વિચારોને ત્યજ્યા સિવાય, આ દુનિયા સ્પેશ્ય સિવાય જે જીવી શકુ તો એકેય બંધન મને બાંધી શકશે નહિ. જો હું પ્રેમ, શાંતિ, આનંદ અને સાધનાપૂર્વક જીવી શકુ તો હવે પછી શું બનશે એની ચિંતા મારે ન કરવી જોઈએ.” “આવતીકાલ એ સ્વપ્ન છે. આજ એ વાસ્તવિકતા છે. મારે વાસ્તવિકતાને ઓળખવી જોઈએ.' મનમાં જે ખોટી, નકારાત્મક લાગણીઓ છે એ મનને અયોગ્ય માર્ગે વળવા દેવાથી આવે છે. જે સ્થિતિ છે એ સ્થિતિમાંથી નાસી જવાનો અર્થ નથી. એ સ્થિતિનો સામનો કરીને એને બદલી શકાય છે.' “જીવનનો વિકાસ પોતાના હાથમાં છે. મારામાં જે શક્તિ છે એ જ ઈશ્વર છે. એ શક્તિ દ્વારા મારી સર્વ મનોકામના હું સિદ્ધ કરી શકીશ.' | મુનિની સાધના ચાલુ હતી. તેઓ પોતાની જાત સાથે ગાઢ સંપર્કમાં આવતા હતા. એમને જીવન માટે અને જીવમાત્ર માટે આદરભાવ વધતો જતો હતો. જે પોતાની જાત સાથે ગાઢ સંબંધમાં જીવતા શીખી જાય છે તેમને પોતે જે બોલે, પોતે જે વર્તન કરે, અરે! પોતે જે હલનચલન કરે એનું પોતે જાતે જ નિરીક્ષણ કરે છે. પોતે જ પોતાના કાર્ય પાછળના હેતુઓને બરાબર તપાસે છે. પોતાના હોઠમાંથી જે શબ્દો બહાર પડે એ ચોકસાઈપૂર્વક બોલે છે અને પોતાની સર્વ પ્રવૃત્તિ પર બારીક નજર રાખે છે. આ રીતે આવી વ્યક્તિ બીજાની લાગણી દુભાવવાના દોષથી બચી જશે. મુનિ આ રીતે મન, વચન અને કર્મથી અહિંસા પાળવા ઈચ્છતા હતા. ૩૪ ૩૪. . શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રા ચિત્રભાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001805
Book TitleShantipathno Yatri Swapnadrushta Chitrabhanu
Original Sutra AuthorN/A
AuthorClare Rosenfield
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy