SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાશ્રયમાં દાખલ થતાંજ એમનું મન સાતા અનુભવવા લાગ્યું. એક નિર્ણય કર્યો અને ચંદ્રપ્રભસાગર પાસે રજુ કર્યો. એમણે પૂર્ણ સ્વસ્થ અવાજે કહ્યું, 'હું શા માટે સંસારમાં છું, હું શા માટે ધન એકઠું કરું છું? આવા વિચારો મને સતાવવા લાગ્યા તેથી હું અહીં આવ્યો છું. બચપણથી મને ધર્મમાં પૂર્ણ શ્રદ્ધા છે. હવે ધર્મ પ્રતિ અનેરો અનુરાગ જાગ્યો છે તેથી મારે દીક્ષા લેવી છે. મુનિએ સંસારી પિતા સામે નજર માંડી. જાણે મુનિ એમના મનમાં ડોકિયું કરવા માગતા ન હોય! ‘તમે સાચુ કહેજે,” મુનિએ અવિચલિત કંઠ સ્વરે પૂછયું, હું અહીં છું તેથી દીક્ષા લેવા ઈચ્છતા નથી ને, મારી સાથે રહેવાની નિર્બળ મનોકામના તમને અહીં ખેંચી લાવી નથી ને?' ' ના, નિર્બળ પળે નહિ પણ સબળ પળે મેં આ નિર્ણય કરેલ છે. છેલ્લા ત્રણ મહિનાથી હું કપરી મનોવેદના અનુભવી રહ્યો છું; મેં તીવ્ર મનોમંથન અનુભવ્યું છે. અંતે કોઈ શુભ પળે મેં નિર્ણય લીધો છે કે હું સંસારનો આ પરિગ્રહ ત્યજી દઈશ. મારા જીવનમાં એ પળ આવી છે કે મારે મારા આત્મ કલ્યાણ અર્થે મારો સંસારી વેશ ત્યજી દેવો જોઈએ.” અને છોગાલાલે પણ પોતાનું યથાર્થરૂપ જાણવા માટે સંસારનો ત્યાગ કર્યો. એમણે દીક્ષા લીધી નામ પાડયું મુનિશ્રી ચન્દ્રકાન્તસાગરજી. '' | શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું Jain Education International For Private & Personal use only ૩૧ www.jainelibrary.org
SR No.001805
Book TitleShantipathno Yatri Swapnadrushta Chitrabhanu
Original Sutra AuthorN/A
AuthorClare Rosenfield
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy