SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાગીને હું સાધુ બની રહ્યો છે. માયા મમતાની, લોભની અને અપેક્ષાની દુનિયાને તું છોડીને આ નવો માર્ગ ગ્રહણ કરી રહ્યો છે. હવે તારે દેહથી એકલા રહેવાનું છે પણ મનથી વિશ્વ સાથે અનુસંધાન સાધવાનું છે.’ ગુરૂના વચનોનું પાન કરીને સાધુએ પોતાના સંસારી પિતા તરફ એક નજર નાખી. પોતાના પુત્રને સાધુવેશે જોઈને પિતાના હૃદયમાં અવનવા ભાવ જાગ્યા. તેઓ તૃપ્ત થઈને ઘરે જવા નીકળ્યા. ચંદ્રપ્રભસાગરે પહેલી રાત પસાર કરી. વહેલી સવારે તેઓ ધ્યાનમાં બેઠા. સો અહમ્નો જાપ કરવા લાગ્યા. હું કોણ છું? એ પ્રશ્નનો જવાબ જાણે અંતરમાં ઊગી નીકળતો હતો. દેહમાં અમૃતગંગા વહેતી હતી. આંખમાં આનંદના પૂર ધસી આવતા હતાં. અંતરમાં હર્ષ ઉભરાતો હતો. સમય પસાર થયો અને ગુરૂ સાથે વિહાર શરૂ થયો. રોજ વહેલી સવારે ચાલવાનું શરૂ થતું બાર માઈલનો પંથ કાપવામાં આવતો. પછી ઉપાશ્રયમાં વિરામ લેતા હતાં. થોડા દિવસમાં ચંદ્રપ્રભસાગરજી અનુભવવા લાગ્યાં કે એમની ઉર્ધ્વયાત્રા શરૂ થઈ છે. સાધુ તરીકે ભરચક દીનચર્યામાં છતાં ય મન ભૂતકાળમાં સરી પડતું હતું. મનમાં યાદોની વણઝાર શરૂ થતી, ‘શું બા, બહેન અને ઉષા ફરી કદી જોવા મળી શકશે, જે ગુમાવ્યાં છે એને કેમ મળી શકાતું નહિ હોય ?' મન સામે સવાલ કરતું, ‘હવે તો તારી ઉર્ધ્વગામી યાત્રા શરૂ થઈ છે. એ જ તારું જે જીવન ધ્યેય છે તો વિખૂટા પડેલાને મળવાનો મોહ શા માટે?’ ૨૮ Jain Education International શાન્નિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001805
Book TitleShantipathno Yatri Swapnadrushta Chitrabhanu
Original Sutra AuthorN/A
AuthorClare Rosenfield
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy