SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ - - - કરવા ઈચ્છતો હતો. ગુરૂ કહેતા, હમણાં ગ્રંથોનો ઉપયોગ કરવાની જરૂર નથી. હાલ તો તું નવા પ્રકારના જીવનનો અનુભવ લે. એક સમય આવશે જ્યારે તું આગમો સમજી શકશે. તારે જે જાણવું છે, જે સમજવું છે તે તારી આંખ સામે ખુલ્લું થશે. એ માટે રાહ જોવી પડશે. ધીરજ ધરવી પડશે.' રૂપ ગુરુ આજ્ઞા મુજબ કાર્ય કરતો હતો. , થોડા સમય પછી રૂપને મુંબઈ મોકલવામાં આવ્યો. ત્યાં પંન્યાસ ચંદ્રસાગરજી પાસે એને રહેવાનું હતું. રૂપ મુંબઈ સાધુઓ સાથે રહેવા લાગ્યો. એ જીવી રહ્યો હતો એના કરતાં અલગ અને નિર્મળ જીવન જીવવાનું હતું. એની તૈયારી રૂપે એને સવારે સાડા ચાર વાગ્યે જગી જવાનું હતું. જાગ્યા પછી એનો અભ્યાસ શરૂ થતો. રૂપ હવે ઉપાશ્રયમાં રહેતો હતો. સાધુઓ સાથે વિહાર કરતો હતો અને સાધુઓની જેમ જ જીવતો હતો. રૂપ ધ્યાન ધરતો હતો. જો કે શરૂશરૂમાં મન પૂર્ણપણે સ્થિર થતું ન હતું. મનના તાર અંતરના તાર સાથે એકાત્મભાવ અનુભવતા ન હતા. કોઈવાર મનનું તાંડવ ધ્યાનમાંથી ચલિત કરતું હતું. ધરિધર મન ધ્યાનમગ્ન બનવા લાગ્યું. આ દુનિયા સાથે એકાત્મભાવ અનુભવવા લાગ્યું. શ્રી ચંદ્રસાગરજીએ પૂછયું, ‘ધ્યાન કેમ ચાલે છે?' "મન અવનવો અનુભવ કરી રહ્યું છે. જાણે સ્નેહભરી આંગળીઓના ટેરવાનો મૃદુ સ્પર્શ થતો હોય એવું લાગે છે. - ગુરૂને રૂપના મનની સ્થિતિ જણાવી એમની સલાહ લીધી. ગુરૂને લાગ્યું કે રૂપ દીક્ષા માટે યોગ્ય છે. એને બોરડી ગામમાં દીક્ષા આપી. એનું નામ ચંદ્રપ્રભ સાગરજી રાખવામાં આવ્યું. ગુરૂએ કહ્યું તું નવા પંથે પ્રયાણ કરી રહ્યો છે. સંસાર શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું — - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001805
Book TitleShantipathno Yatri Swapnadrushta Chitrabhanu
Original Sutra AuthorN/A
AuthorClare Rosenfield
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy