SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ , જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ' ઉપશમ અમૃત રસનું પાન કરવું, સાધુ ભગવંતના ગુણગાન ગાવા, કડવાં વચનો સાંભળીને રીસ કરવી નહિ. ખીજાઈ જવું નહિ. સજ્જનને માન આપવું જોઈએ. ક્રોધ કષાયનો અનુબંધન રાખવો, સત્ય વચન બોલવું, સમક્તિ રત્ન પ્રાપ્ત કરવાની રૂચિ-પ્રેમ સાધવો. કુમતિનો ત્યાગ કરવો. મનના અધ્યવસાય શુભ રાખવા માટે અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ એમ ચારના શરણનો સ્વીકાર જોઈએ. કવિએ ચાર શરણના હેતુ વિશે જણાવ્યું છે કે ચારનાં શરણ જે પડિવજે, વળી ભજે ભાવના શુદ્ધ રે, દૂરિત સવિ નિદિયે આપણાં, જેમ હોય સંવર વૃદ્ધિ ૨. ચેતન ૯ છે. આ ભવ અને પરભવમાં થયેલી વિરાધના- આશાતના થઈ હોય તેની નિંદા કરવી સુકૃતની અનુમોદના અને દુષ્કૃતની ગહ કરવી. ગુરુ વચનનું પાલન કરવું. ગુરુ આજ્ઞા શિરોધાર્ય કરવી. સ્વમતથી સ્વેચ્છાચારી વર્તન કરવું નહિ. તેનાથી આત્માના જ્ઞાન દર્શન અને ચારિત્ર ગુણનો નાશ થાય છે. ધર્મના નામે લોકોને ગેરમાર્ગે દોરવા નહિ. ગાથા ૧૧ થી ૧૪માં અઢાર પાપ સ્થાનકનો ઉલ્લેખ કરીને કવિ જણાવે છે કે પાપ જે એહવાં સેવિયાં, તેહ નિદિયે ત્રિોં કાલ રે સુકૃત અનુમોદના કીજીએ, જેમ હોય કર્મ વિસરાલ રે. ચેતન / ૧૬ . અનંત ઉપકારી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય સાધુએ પાંચની ભક્તિ-આરાધના કરવી. શ્રાવકના દેશવિરતિ ધર્મની અનુમોદના કરવી. સમક્તિના સંદર્ભ કવિએ ઉદારમતવાદી બનીને સ્યાદ્વાદની અપેક્ષા જણાવ્યું છે કે અન્યમાં પણ ધ્યાયિક જેહ જિન વચન અનુસાર રે, સર્વ તે ચિત્ત અનુમોદીએ, સમક્તિ બીજ નિરધાર રે. ચેતન | ૨૦ ||. પાપભીરુતા રાખવી, ભવ પ્રત્યે રાગ ન રાખવો પોતાની સ્થિતિ પ્રમાણે જીવનવ્યવહાર ચલાવવો. આ પ્રમાણો આચરણ કરનારની અનુમોદના કરવી. જૈન શાસન ગુણાનુરાગને વરેલું છે. સ્વદોષ દર્શન અને પરગુણની અનુમોદના આત્મા પાપકર્મથી બચી જાય છે. કવિના શબ્દો છે. થોડે લો પણ ગુણ પર તણો સાંભળી હર્ષ મન આસરે, દોષ લવ નિજને દેખતાં, નિર્ગુણ નિજ આતમા જાણ રે ચેતન / ૨૨ // ઉચિત વ્યવહારનું પાલન કરવું. મનની સ્થિરતા કરી શુભ પરિણામ રાખવા–નય વાદની રાતે શુભ ભાવના ભાવવાથી પાપકર્મનો નાશ થાય છે. કવિએ વૈવિધ્યપૂર્ણ વિચારો દર્શાવ્યા છે તેમાં શુદ્ધ અત્યાત્મ સ્વરૂપ વિચારો દર્શાવતી પંક્તિઓ જોઈએ તો, દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપરે, અક્ષય અલંક છે જીવનું જ્ઞાન આનંદ સ્વરૂપ રે. ચેતન / ૨૪ | સમગ્ર અમૃતવેલના સારરૂપ આત્મ ચિંતન કરવા માટે ર૪મી ગાથા મહત્વની છે. તેમાં રહેલા ગહન વિચારો જાણવાથી આત્મસિદ્ધિનો માર્ગ હાથવેંતમાં આવી જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy