SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૨ ૫૩ નથી. અનંતા આત્માઓ સિદ્ધિ પદને પામ્યા છે એવું બીજ સ્વરૂપ આ તીર્થ અને તેનો મહિમા શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી છતાં કવિઓએ પોતાની આગવી શૈલીથી તીર્થ મહિમા મુક્ત કંઠે ગાયો છે. આ સિદ્ધવેલના કર્તા પંડિત ઉત્તમવિજયજી વિજયપ્રભસૂરિનાં પાટ પરંપરામાં થયા છે. પૂ. શ્રી પેથાપુરમાં ચાતુર્માસ દરમિયાન સં. ૧૮૮૫ના કારતક સુદ પૂર્ણિમાને દિવસે રચના કરી છે તેનો ૧૩મી ઢાળમાં ઉલ્લેખ થયો છે. અને તેની સાથે ગુરુ પરંપરાનો પણ નિર્દેશ કરીને કવિના નામનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. ( ગાથા-૮-૯-૧૦-૧૧-૧૨). (પા. ૩૦) કવિએ સં. ૧૮૮૪ના ચૈત્ર સુદ પૂર્ણિમાને દિવસે ગિરિરાજની દ્રવ્યભાવથી ઉલ્લાસૂપર્વક યાત્રા કરી હતી અને તે નિમિત્તથી પ્રેરણા પ્રાપ્ત થતાં શ્રી સિદ્ધાચલ સિદ્ધવેલની રચના કરી હતી. વેલિ-વેલ પ્રકારનાં કાવ્યો માત્ર ભૌતિક વિવાહનું સૂચન કરતાં નથી પણ શિવવધૂને—શિથનારીને પામવાનો જીવનનો પરમોચ્ચ આદર્શ સિદ્ધ થાય છે તેનું પ્રતિપાદન કરે છે. એટલે આત્મા મુક્તિપદને પામે તેના બીજ સમાન ઉપયોગી સિદ્ધવેલ છે. કવિએ તેર ઢાળમાં સિદ્ધાચલનો મહિમા ગાયો છે. કાવ્યને અનુરૂપ વિવિધ દેશીઓનો પ્રયોગ કરીને ગેય કૃતિ તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે. મધ્યકાલીન કાવ્ય પ્રણાલિકા અનુસાર ઇષ્ટ દેવ અને સરસ્વતીની સ્તુતિ કરીને વિષયનો નિર્દેશ કરવામાં આવ્યો છે. કવિના શબ્દો છે. પારસતણા પદ કજ નમી, સમરી શારદા માય, વિમલાચલ ગુણ વરણવું, સાંભળતાં સુખ થાય. પુણ્ય નરભવ પામીને, જે કરે તીરથ જાત્ર, તસ પદ ભલ પાવન હુવે, નામે નિરમલ માત્ર. સિદ્ધિવર્યા સાધુ તણા, સિદ્ધાચલ સુપસાય, સિદ્ધવેલિ કરીને સ્તવું, રચના મુખ શુદ્ધ થાય. તીર્થ મહિમા વર્ણવતી દૃષ્ટાંતરૂપ પંક્તિઓની નોંધ નીચે પ્રમાણે છે. સિદ્ધિગિરિ સેવો વહાલા, શું ભટકો છો ઠાલા માલા, એ ગિરિ જેણે ન ફરસ્યો, ગર્ભવાસ રહ્યો તે તરસ્યો. સાંભળો સુખભર સ્વામી, તે તીરથ શીવ મગ વિશરામી, એ ગિરિ જયવંતો વરતો, નિર્મળ નીર નિઝરણ ઝરતો, સુખ સંપદ દાતાર દાતા, પામે ઉત્તમ અવિચળ સુખ સાત || સિદ્ધ || ૧૧ (ઢાળ—૧) ત્રિભુવન તારક જગ નિલો રે, શિવગતિ દાયક સાર. સિદ્ધગિરિ સેવો વ્હાલા જાત્રા નવ્વાણું કાજી એ રે, છરી પાળી ઉદાર, હોય અઠ્ઠમ છઠ્ઠ સાત ગણો રે, ગણણું લખ નવકાર. ॥ સિદ્ધ ॥ ૨ ॥ પાંચ કોડિ મુનિ સાથ સધાવ્યા, ગણધર પુંડરીક નામ, પુંડરીક એ ચોથું જાણે, પાંચમું રેવત ઠામ, ॥ સિદ્ધ ॥ ૬ ॥ (ઢાળ -૨) For Private & Personal Use Only Jain Education International || ૧ || ॥ ૨ ॥ || ૯ || www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy