SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા જતના ભક્તિ કે એક જતના બીજી ભક્તિ કરિયામાં કે જે ક્રિયામાં હોય એટલે જે ક્રિયામાં જતના તથા ભક્તિ હોય નહીં દોષકે. તે ક્રિયામાં દોષ નથી તથા કદાચિત તેહમાં પણ હિંસા કહીને દોષ દેરવાડીએ તો પડિક્કમણે પડિકમણામાં મુનિ દાન કે મુનિને દાન દેતાં વિહાર કે મુનિને વિહાર કરતાં નહીં તો કે જીતના ભક્તિએ પણ કરતાં દોષ કહીએ તો હોય તસ પોષકે તે પ્રતિક્રમણ પ્રમુખમાં પણ હિંસાની પુષ્ટિ થાશે એટલે એ એ ભાવ જે પ્રતિક્રમણ કરતાં ઉઠ બેસ કરતાં વાયુકાય હણાય મુનિ દાનમાં પણ ઉન્હી બાક નીકજે. તથા દાન દેવા ઉનતાં પણ જીવઘાત થાય વલી મુનિને વિહાર કરતાં પણ પૃથ્વી પાણી વાયુ વનસ્પતિ વલી ત્રસ બેઇંદ્રિયાકનો પણ ઘાત થાય. તે માટે એ પણ ન કરવાં એમ કહેવું પડશે તે માટે જીતના ભક્તિ ક્રિયામાં દોષ નથી. આ સ્તવનમાં શુદ્ધ તાત્વિક વિચારોનો સમન્વય સધાયો છે. જ્ઞાનમાર્ગની ઉચ્ચ કોટિની રચના તરીકે સ્થાન ધરાવે છે. કવિએ ઢંઢક મતવાળાના વિચારોનો પ્રતિકાર કરીને આગમના પાઠ આધાર સાક્ષી તરીકે વિચારો દર્શાવીને સત્ય દર્શન કરાવ્યું છે. યશોવિજય ઉપા-ની આ જ્ઞાન ગર્ભિત વીર સ્તવના ઉત્તમ કૃતિ ગણીએ તેની સાથે ચતુર્વિધ સંઘને પણ આગમ સાક્ષીએ સત્ય સમજાવીને ધર્મ શ્રદ્ધા દઢ બનાવવામાં અમૂલ્ય ફાળો આપે તેવી છે. આ સ્તવનના વિચારો ગુરુગમ વગર આત્મસાત્ થઈ શકે તેમ નથી એટલે આત્માર્થી જનોએ આગમની વાણી સમજવા માટે ગુરુની નિશ્રામાં પુરુષાર્થ કરવો ઇષ્ટ છે એમ કવિએ જણાવ્યું છે. અહીં હુંડી શબ્દનું અર્થઘટન ઢંઢક મતવાદી જિનવાણી-જિનાગમરૂપી હુંડી સ્વીકારી આત્માનું કલ્યાણ કરે એમ સમજવાનું છે. મહાવીર હૂંડી બાલાવબોધની રચના કવિ પદ્મવિજયજીએ સં. ૧૮૪૯માં રચના કરી છે હૂંડીના મૂળ કર્તા યશોવિજયજી ઉપા. છે. (૬-૭૦) સંદર્ભ : પ્રકરણ રત્નાકર ભા-૩. પ્રવચન સારોદ્ધાર-પા. ૬૩૨. ૮. પત્ર લેખ | વિનંતી મધ્યકાલીન સાહિત્યમાં ગદ્ય-પદ્યમાં સ્વતંત્ર પત્ર લખાયેલા પ્રાપ્ત થાય છે તેની સાથે દીર્ઘ કાવ્યોમાં પણ પત્રનો પ્રયોગ થયો છે. સંદેશો મોકલવા માટેનું સર્વજન સુલભ એવું પત્ર સાહિત્ય વિવિધ પ્રકારનું છે. કવિ જયવંતસૂરિ ૧૬મી સદીના મધ્યકાળમાં થયા હતા. એમનો અજિતસેન શીલવતી લેખ પ્રાપ્ત થાય છે. અજિતસેનને શીલવતીનો કોઈ પત્ર કે સમાચાર મળ્યા નથી તેની વેદનાને વ્યક્ત કરતાં કરવામાં આવી છે. કે કવિ જયવંતસૂરિએ શ્રી સીમંધરસ્વામી લેખ | પત્ર ની રચનામાં ભગવંતનો ભક્તિ ભાવ સભર મહિમા ગાવામાં આવ્યો છે. શ્રી સીમંધર વિનતી પત્ર રૂપે કવિ કમળવિજયજીએ સં. ૧૬૮૨માં દિવાળીના દિવસે ગુરુવારે રચના કરી છે અને ભક્ત ભગવાનને પોતાનો ઉદ્ધાર કરવા માટે વિનંતીરૂપે વિચારો For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy