SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૭ ૩૨ ૭. ૭. હુંડી કાવ્ય રચના મૂળભૂત સ્તવનરૂપે પ્રગટ થઈ છે પણ તેના અંતર્ગત વિચારોને અનુલક્ષીને હુંડી-વીજતી શબ્દ પ્રયોગ થયો છે. કવિએ હુંડી સ્તવનની રચના સં. ૧૭૩૩માં ૧૫૦ ગાથામાં રચના કરી છે. આરંભમાં વિષય વસ્તુનો નિર્દેશ કર્યો છે તે નીચે મુજબ છે. પ્રણમી શ્રી ગુરુના પયપંકજ, પણg વીર જિણંદ, ઠવણ નિક્ષેપ પ્રમાણ પંચાંગી, પરખી બહું પ્રાણરે. જિનજી તુજત્રાણા શિરવહીણ, તુજશા સનનય શુદ્ધયરુપણ ગુણથી શિવસુખ બહિણરે. હુંડી એટલે વીનતી. વેપાર ધંધામાં નાણાંકીય વ્યવહારમાં હુંડીનું ચલણ હતું. કવિએ ઢુંઢક મતવાળાને સ્તવનની હુંડી દ્વારા વિતરાગની વાણી-આગમ ગ્રંથોનું જે જ્ઞાન છે તેનો આધાર દર્શાવીને પ્રતિમા સ્થાપના પૂજાનો અધિકાર શારમ સંમત છે એમ જણાવ્યું છે એટલે આ સ્તવનરૂપ હુંડી ઢંઢક મતવાળાએ સ્વીકારવી જોઈએ એમ સમજાય છે. સત્યવિચાર ગ્રહણ કરવાથી આત્માનો અવશ્ય ઉદ્ધાર થાય છે. હુંડીનો પર્યાયવાચી શબ્દ લીન લીધે ભક્તો પ્રભુને વિનતી કરીને ઉદ્ધારની ભાવના વ્યક્ત કરે છે. એટલે આ પ્રકારની પ્રતિમા પૂજન (મૂર્તિપૂજા)ના મતનું સમર્થન કરવા માટે આગમના ગ્રંથોનો સંદર્ભ આપીને ઢંઢક મતના સંશયોનો પ્રતિકાર કરવામાં આવ્યો છે મૂર્તિપૂજા એ કોઈ ફળદ્રુપ ભેજાની કલ્પના નથી પણ પ્રભુ ભક્તિના પ્રકાર માટેની ઉત્તમોત્તમ વ્યવસ્થા છે. કવિતા શબ્દોમાં માહિતી નીચે પ્રમાણે નોંધવામાં આવી છે. કોઈ કહે જિન પૂજાતાજી | જે પટકાય આરંભ | તે કેમ શ્રાવક આચરેજી | સમકિતમાં થિરથંભ | સુખદાયક તોરી આણા મુજ સુપ્રમાણ | ટેક |૧|| અર્થ :- કોઈ કહે જિન પૂજતાં કે કોઈક તો ઢુંઢીયા એમ કહે જે પરમોશ્વરની પૂજા કરતાં થકી જે પટકાય આરંભ કે તન કાયની જે હિંસા થાય તે તોકે તે પૂજા કેમ શ્રાવક આચરે કે શ્રાવક ષ કરે ? સમકિતમાં થિરથંભ કે સમકિત દઢ બે તે શ્રાવક કકાની હિંસાનો હેતુ જે જિનપૂજા તે ધર્મવાસ્તે કેમ કરે ઇતિ પ્રથમ ગાથાર્થ સુખદાયક કે હે સુખદાયક સુખના દેણહાર તોરી આણા કે તમારી આજ્ઞા તે મુજ સુપ્રમાણ કે મહારે પ્રમાણ રે અથવા પ્રભુજીની સ્તવના તો કરે જ જે માટે પ્રભુને કહે રે જે સુખદાઈ જે તમારી આજ્ઞા તે મારે પ્રમાણ તે એટલે એ ભાવ જે તમારી આજ્ઞા તે પ્રમાણે તે પણ કુયુક્તિ કરવી તે પ્રમાણે નથી. તેહને કહીએ જતના ભક્તિ કિરિયામાં નહીં દોષ / પડિકમણ મુનિદાન વિહારે | નહીં તો હોય તસ પોષ સુ. અર્થ : તેહને કહીએ કે જે પૂજામાં હિંસા બતાવે તે તેને કહીએ શું કહીએ ? તે કહેવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy