SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૬ કવિ યશવિજય શું શીખએ આપ આપĖ દેત, સામ્યશતક ઉદ્ધારકાર હેમવિજયમુનિકેત. સમતા શતક ૧૮ યશોવિજયજી ઉપા.ની વૈવિધ્યપૂર્ણ કાવ્ય સૃષ્ટિમાં આત્માના કલ્યાણ માટે અનન્ય પ્રેરક અને પોષક વિચારોનું ભાથું રાખતા શતકમાંથી પ્રાપ્ત થાય છે. અત્રે દૃષ્ટાંતરૂપ કૃતિઓ અભ્યાસ માટે નોંધવામાં આવી છે. સમતાથી સાધનાના વિચારો આત્મ વિકાસમાં શુભ નિમિત્ત બને છે. A સમતા શતક ચિદાનંદ વિદ્યુકી કલા અમૃત બીજ અનપાય, જાને કેવલ અનુભવી કિનહી કહી ન જાય. આત્મિક આનંદરૂપી ચન્દ્રમાની કલાએ અમૃતનું (મોક્ષનું) બીજ છે તે કલા કદી નાશ પામતી નથી અને તે કલાનો જે આનંદ છે. તે તો કેવલ અનુભવી જ જાણે છે તે કોઈની આગળ કહી બતાવતી નથી. મમતા થિર સુખ શાકિની નિરમમતા સુખ મૂલ, મમતા શિવ પ્રતિકૂલ હૈ નિરમમતા અનુકૂલ. Jain Education International ૩૧૫ મમતા એ સ્થિર સુખનો નાશ કરવા માટે શાકિની તુલ્ય છે. જ્યારે નિર્મમતાએ સ્થિર સુખનું મૂલ છે. મમતા તે મોક્ષ માર્ગથી પ્રતિકૂલ છે જ્યારે નિર્મમતાતે અનુકૂલ છે. કરે મૂઢમતિ પુરુષકું શ્રુત ભી મદભય રોષ, જ્યું રોગીકું ખીર ધૃત સંનિપાતકો પોષ. ૧૦૫ (પાન ૨૧૯) જેમ રોગી માણસને ખીર અને ઘી સંનિપાત વધારવા માટે થાય છે તેમ મૂઢ બુદ્ધિવાળા પુરુષને શ્રુત (જ્ઞાન) પણ મદભય અને રોષની વૃદ્ધિ કરનારું થાય છે. ટાળે દાહ તૃષા કરે ગાલે મમતા પંક, લહરી ભાવ વિરાગકી તાકો ભો નિસંક. વિરાગ ભાવ (રૂપી જલ)ની લહેર (ક્રોધરૂપી) દાહને ટાળે છે. (વિષયરૂપી) તૃષાને દૂર કરે છે. અને મમતારૂપી કાદવને સાફ કરે છે. તેથી શંકારહિત પણે તેનું સેવન કરો. રાગભુજંગમ વિષહરન ધારો મંત્રવિવેક, ભવવન મૂલ છેટું વિલસે યાકી ટેક. રાગ રૂપી સર્પનું વિષ દૂર કરવા માટે વિવેકરૂપી મંત્રને મનમાં ધારો એ વિવેક સંસારરૂપી વનનું મૂલ છેદી નાખવા માટે સમર્થ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy