SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા જ્યાં સુધી પ્રાણીઓને મોહના હેતુભૂત સંસારની વાસના, જાગતી હોય છે. ત્યાં સુધી નિર્મમતા માટેની રુચિ ક્યાંથી પ્રગટે. (૨૯). હે મન? કારણને અનુરૂપ કાર્ય હોય છે. એ વાતનો તું નિશ્ચય, રાખ તેથી આ અનાયાસ-કષ્ટ વિનાની ક્ષમા ક્લેશ વગરના. સુખને ઉત્પન્ન કરે છે. (એમ જાણ) (૩૭) વક્રગતિને ધારણ કરતી અને બહારથી કોમલતાને, દર્શાવતી સાપણની માફક આ માયા નિરંતર જગતને ડસ્યા કરે છે. (૪૫). દુઃખે કરીને વશ કરી શકાય તેવા મનને પ્રથમ જીતવાથી, જ પછી ઈન્દ્રિયો સુખથી જીતી શકાય છે અને તે મનને. તત્ત્વના વિચારથી જીતવું જોઈએ એમ મને લાગે છે. (૭૦) સમાધિ શતક સમાધિ શતકને બીજું નામ સમાધિ તંત્ર-દુહા આપવામાં આવ્યું છે. જૈન ધર્મના ઉત્તમ ગ્રંથોના સંદર્ભમાં ૧૦૦ દુહાનો અનુવાદ સમાધિ શતકમાં છે. આદિ-સમરી ભગવતિ ભારતી પ્રણમી જિન જંગ બધુ કેવલ આતમ બોધકો કરશું સરસ પ્રબંધ. અંત-જ્ઞાન વિમાન ચારિત્ર પવિ નંદન સહજ સમાધ, મુનિ સુરગતિ સમતા શચિ રંગે રમે અગાધ. કવિ જશવિજર્યો એ રો દોધિક શતકપ્રમાણ, એહ ભાવ જો મનધરે સૌ પાર્વે કલ્યાણ. કવિએ સમતા શતકમાં સમતાનો મહિમા ગાયો છે. આત્મસિદ્ધિ માટે મોક્ષ માર્ગમાં આગળ વધવા માટે સમતા ગુણ અનિવાર્ય છે સાધુ જીવન સમતાનું ઉત્તમોત્તમ ઉદાહરણ છે અહો અહો સાધુજી સમતા દરિયા. કવિએ દોહા પદવંધમાં આ શતકની રચના કરી. આદિ-સમતા ગંગા મગનતા ઉદાસીનતા જાત, ચિદાનંદ જયવંત હો કેવલ ભાનુ પ્રભાત. અંત-બહુત ગ્રંથ નય દેખિકે મહાપુરુષકૃત સાર, વિજસિંહસૂરી કિઓ સમતાશતકો હાર. ૧૦૩ ભાવત જાકું તત્ત્વ મન હો સમતા રસલીન, યૂ પ્રગટે તુઝ સહજ સુખ અનુભવ ગમ્ય બહીન. ૧૦૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy