________________
૩૧૨
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા કાશી દેસ નયરી જાત્રા જુ આયે વૃષભ જિન કરી, ભાવ શું ભેટ્યો સિદ્ધાચલ તીરથ કર્મ કઠોરમિટીભવફરી. જૈ જગ પંડિત ભાવારથ વિચારપઢે તિનકું ચંદન મેરી,
પૂરણ કૃપા હવે સતગુરુકી કેવલસંપતિ આવાહિ નેરી. ૫૮ (સંદર્ભઃ જૈન ગૂર્જર કવિઓ ભા. ૬-૮)
૬૫. બહોતેરી
શ્રી સાર પાઠકે રત્નહર્ષગણિ ગુરુકૃપાથી ગર્ભ બહોતેરીની રચનામાં ગર્ભસ્થ જીવની સ્થિતી અને અને ગર્ભાવસ્થામાં જીવાત્માનો વિકાસ અને નવમાસ પૂર્ણ થયા પછી જન્મ થવો. દશ દષ્ટાંતે દુર્લભ મનુષ્યજન્મ મળ્યા પછી જિનધર્મ આરાધવો જોઈએ. ગર્ભ બહોતેરીની રચનાનો આધાર તંદુલ વ્યાપી પદ્યભાષામાં છે એમ જણાવ્યું છે.
નમૂનારૂપે પંક્તિઓ નીચે પ્રમાણે છે. ઉતપતિ જોજો આપની મન માંહી વિમાસ, ગરભાવશે જીવડો વસિયો નવમાસ.
ઉતપતિ || ૧ | નારી તણી નાભી તળે જિનવચને જોય, કુલતણી જિમ નાળીકા તેમાં નાડી છે દોષ. | ઉતપતિ ૨ || આઠમે માસે નીપળ્યું એમ સફળ શરીર, ઊંધ શિર વેદને સહે જંપે જિન વીર.
|| ઉતપતિ || ૨૭ II ઊંધે મુખ ગુડા હિયે સહે તો બહુ પીડા, દષ્ટિ આગળ બિજું હાથ શું રહે મૂઠી ભીડ. || ઉતપતિ | ૩૪ | નરવિણ વસ્ત્ર જળાદિકે ઉપજે ચોથાન, અથવા બિહુ નારી મળ્યાં કહ્યાં ગર્ભ નિધાન. || ઉતપતિ . ૩૫ II જન્મની પછીની દશ-દશ વર્ષની અવસ્થા વિશે કવિ જણાવે છે કે પહોત્યો દશ કે પાંચમે મનમાં સસનેહ, બેટા બેટી ને પોતરાં પરણાવે તેહ.
|| G || પર છે છઠે દશકે પ્રાણીયો લળી પરવશ થાય, જરા આવી જોબન ગયું તૃષ્ણા તોય ન જાય.
|| પ૩ || આવ્યો દશ કે સાતમે હવે પ્રાણી તેહ, બળ ભાંગ્યું સેઢો થયો નારી ના ઘરે નેહ.
3 || ૫૪ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org