SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૬ (સંખ્યામૂલક કાવ્ય પ્રકારો) સંખ્યામૂલક કાવ્યોનું શીર્ષક કાવ્યની કડીઓ (ગાથા)ને આધારે નિયત કરવામાં આવ્યું છે. આ પ્રકારની નાની મોટી ઘણી કૃતિઓ પ્રગટ થયેલ છે. મોટે ભાગે આ પ્રકારની કૃતિઓ સજઝાય સ્તવન અને આધ્યાત્મિક વિચારોને સ્પર્શતી છે. અત્રે વિશીબાવીશી ચોવીશી, પચ્ચીશી ઓગણત્રીશી, બગીશી, છત્રીશી બાવની અને બહોંતેરી નમૂનારૂપે પ્રગટ કરવામાં આવી છે. અધ્યાત્મ જ્ઞાનના વારસારૂપ આ કૃતિઓ માહિતી પ્રધાન છે. સાત ધ્વસનની સઝાય નયવિજયજી, આઠ દૃષ્ટિની સઝાય ઉપા. યશોવિજયજી આઠ મદની સક્ઝાય માનવિજયજી, દશ શ્રાવકની સઝાય કવિ પંડિત વીરવિજયજી, બાર ભાવનાની સજઝાય સકલચંદ્ર ઉપા., તેર કઠિયાની સજઝાય વિશુદ્ધ વિમલ અઠાર પાપ સ્થાનકની સઝાય જશવિજય. વગેરે સંખ્યામૂલક કાવ્યોની સૂચિ છે. ૧. જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોની વિવિધતાનો વિચાર કરીએ તો તેમાં સંસ્કૃત-પ્રાકૃત અને અપભ્રંશ કાવ્ય પ્રકારોનો પ્રભાવ પડ્યો છે. મુનિ ભગવંતો સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના પ્રખર અભ્યાસી હોવાથી જ્ઞાનને સ્તવન સુલભ બનાવવા માટે સમકાલીન ગુજરાતી ભાષામાં કાવ્ય રચના કરી છે. સંસ્કૃતમાં અષ્ટક-શતક જેવી રચનાઓ સ્તોત્ર-સ્તુતિમૂલક તરીકે પ્રાપ્ત થાય છે. ગૌતમ સ્વામીનું અષ્ટક વિશેષ જાણીતું છે. કવિ બાણનું ચંડીશતક પ્રસિદ્ધ છે. “શતક' એ સંખ્યાવાચક શબ્દ છે. તે ઉપરથી આ પ્રકારની કાવ્યકૃતિમાં ૧૦૦ શ્લોકોનો સંચય હોય છે. અષ્ટકમાં આઠ શ્લોકો હોય છે મહામહોપાધ્યાય યશોવિજયજી ઉપા.ની સમાધિ શતક અને સમતા શતક કૃતિઓ આ સંજ્ઞાવાળી પ્રાપ્ત થાય છે. ૫૪. શ્રી જિનચન્દ્રસૂરિ અષ્ટક ૨. મુનિ પુણ્યસાગરજીએ જિનચન્દ્રસૂરિ અષ્ટકની રચનામાં પૂ. ગુરુવર્યનો જન્મ-દીક્ષા સ્વર્ગારોહણ તથા ગુરુપૂજા-ભક્તિનો મિતાક્ષરી પરિચય આવ્યા છે. આ અષ્ટક ગુરુ ભક્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy