SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા તેટલી ઓછી છે. પ્રાચીન તીર્થમાળા સંગ્રહમાં તીર્થમાળા અને ચૈત્યપરિપાટી અંગેની કેટલીક કૃતિઓનો સંચય થયો છે. સમગ્ર પુસ્તકનું વસ્તુ તીર્થભૂમિની ભાવયાત્રા સમાન છે. પૂર્વદેશીય તીર્થ વિભાગમાં ૨૪ તીર્થોનો ક્ષત્રિયકુંડ, ચંપાનગરી સિંહપુરી, પાટલીપુત્ર પરિચય આપવામાં આવ્યો છે. પાવાપુરી, સમેતશિખર તીર્થમાળા શૌરીપુરી હસ્તિનાપુર વગેરેની રચના પં. વિજયસાગર કરી છે તેમાં સમેતશિખર તીર્થનો મહિમા, ભૌગોલિક વર્ણન અને તીર્થના પ્રભાવની વિગતોનો સમાવેશ થાય છે. તીર્થ વિશે ઐતિહાસિક માહિતી પણ પ્રાપ્ત થાય છે. કવિ હંસસોમની આ રચના દ્વારા પૂર્વદેશીય તીર્થોનો મિતાક્ષરી પરિચય પ્રાપ્ત થાય છે. વસ્તુ છંદમાં કાશી તીર્થનો ઉલ્લેખ કરતાં કવિ જણાવે છે કે (પા. ૧૭) નયર કાસી નયર કાસી પાસ સુપાસ, ચંદ્રાવતી ચંદ્રપ્રભ સીહપુર શ્રેયાંસ જિનવર. હવિ ગંગાનઈ ઉત્તરાઇ રાજગૃહી નયરી મનોહર, વૈભારગિરિ વિપુલગિરિ ઊપરિ બહુ પ્રસાદ. તે વાંદીનઈં ઊતરિયા જીત્યઉ કલિસ્વાદ. તીર્થમાળાના નિરૂપણમાં તીર્થના મૂળનાયક ભગવાન અને એમના પ્રભાવની સાથે પૂજા ભક્તિ ભાવનાનો ઉલ્લેખ થયો છે. ૨. કવિ જયવિજયજીની પણ સમેતશિખર તીર્થમાળા નોંધપાત્ર છે. - કવિ રત્નસિંહસૂરિની ગિરનાર તીર્થમાળાની રચના કરી છે તેમાં સંઘ યાત્રા અને પ્રભુપૂજાની સાથે તીર્થનો પરિચય પ્રાપ્ત થાય છે. પં. દેવચંદ્રજીએ સં. ૧૬૯૫માં ઈડરના ચાતુર્માસ પૂર્ણ થયા પછી શત્રુંજયની ચૈત્યપરિપાટી, સંઘયાત્રા કરી હતી તેનું વર્ણન શત્રુંજય ચૈત્યપરિપાટી નામથી પ્રાપ્ત થાય છે. કવિએ અમદાવાદ તીર્થ જૈનપુરીનો પરિચય આપતાં જણાવું છે કે (ગા. ૧-૨- પા. ૩૯) અહમદાવાદ નગર સુવિચાર શ્રાવક સુકૃત ભરઈ ભંડાર, પૂજ઼ શ્રી જિનસાર તું જયો જયો પૂજ઼ શ્રી જિન સાર (૧) ગઢમઢ મંદિર પોલિ ઉત્તગ નગર શેષતાં હુઇ મનરંગ. સાભ્રમતી વહે ચંગતું જ (૨) ૩. કવિ મેઘની તીર્થમાલાની રચનામાં ગુજરાત, કાઠિયાવાડ, મારવાડ, મેવાડ અને દક્ષિણાનાં તીર્થોનો સંક્ષિપ્ત પરિચય પ્રાપ્ત થાય છે. આ તીર્થમાળા નામ પ્રમાણે ગુણ ધરાવે છે તેમાં ઉપરોક્ત વિસ્તારનાં મુખ્ય તીર્થોનો ઉલ્લેખ થયો છે. “પોસીના' તીર્થ વિશે કવિના શબ્દો છે, (ગા. ૨૩-પા.-૫૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy