SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા જો ભણે ગુણે ભવી ભાવે જો તે સુખ સંપત્તિ પાવેજો, કહે વીર વિજયગણી શાળા તસ ઘર મંગલિક માલાજો. ।।૨૭૮।। ૩. ‘મોતીશાનાં ઢાળિયાં'ની રચના કવિ પંડિત વીરવિજયજીએ સં. ૧૮૮૮ આસો સુદ૧૫ના રોજ કરી હતી. મોતીશા શેઠે મુંબઈ ભાયખલામાં જિનાલયની પ્રતિષ્ઠા કરાવી હતી તે પ્રસંગનું ભાવવાહી અને રસિક શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે. આ ઢાળિયાં લોકપ્રિય બન્યાં છે, મોતીશા શેઠે શત્રુંજય તીર્થ ૫૨ જિનમંદિરની પ્રતિષ્ઠા-અંજનશલાકા સં. ૧૮૯૩માં કરાવી હતી તેનાં ઢાળિયાં રચાયાં છે. ૪. ‘શેઠ હઠીસીંગનાં ઢાળિયાં'ની રચના સં. ૧૯૦૩માં થઈ છે. અમદાવાદમાં બહારની વાડીમાં જિનાલયના પ્રતિષ્ઠા મહોત્સવનું વર્ણન કરતી આ કૃતિ ચૈત્ય મહોત્સવનો પરિચય કરાવે છે. અમદાવાદના શેઠ પ્રેમાભાઈ હેતાભાઈએ શત્રુંજયનો સંઘ કાઢ્યો હતો તેનું વર્ણન કરતાં ઢાળિયાંની રચના સં. ૧૯૦૫ના મહા સુદ-૧૫ના રોજ થઈ હતી. સંદર્ભ : કવિ પંડિત વીર. અધ્યયન ૧-૫ા. ૯૧ નં. ૩-૪ કવિ પંડિત વીર. અધ્યયન પા. ૨૭૭ કવિ પંડિત વીર. અધ્યયન મહાનિબંધ નં ૨ પા. ૩૨૯ કવિ પંડિત વીર. જઈએજી એક અધ્યયન પા. ૯૧, ૨૬૭ ૨૯. વધાવા ભક્તિમાર્ગના સાહિત્યની રચના પ્રકાર અને સંખ્યાની દૃષ્ટિએ વધુ વિસ્તાર ધરાવે છે. લગભગ પ્રત્યેક કવિએ નાની મોટી કૃતિઓમાં ભક્તિમાર્ગને પોષક વિચારો લયબદ્ધ રીતે વ્યક્ત કર્યા છે. ત્યારપછી કર્મયોગ અને જ્ઞાનમાર્ગની જટિલતાથી સર્વ સાધારણ જનતાને સ્પર્શતા. વધુ સમય જાય છે. જ્યારે ભક્તિમાર્ગને હૃદય ને બુદ્ધિ સાથે સંબંધ હોવાથી સહજ સાધ્ય બને છે. ઇષ્ટદેવ પ્રત્યે ચિત્ત મળી જાય એવી મનની સ્થિતિ પ્રાપ્ત થતાં ભક્તિમાં સ્વાભાવિક રીતે વિશેષ ગતિ થઈ શકે છે. ભાવિક ભક્તો પ્રભુ સન્મુખ એક ચિત્તે ભાવ વિભોર બનીને ઇષ્ટદેવ કે ગુરુની અહોભાવથી સ્તુતિ કરી ગુણગાન ગાય છે. આ પ્રકારની કૃતિઓ ઉપાસનામૂલક કહેવાય છે. સાલંબન ભક્તિના નિમિત્તથી આત્માભિમુખ થવા માટે નિરાલંબન ભક્તિ તરફ વિકાસ સધાય છે. Jain Education International ઉપાસનામૂલક કૃતિઓમાં વિશેષ રીતે ઇષ્ટ કે આરાધ્ય દેવદેવીનો મુક્ત કંઠે મહિમા ગાવામાં આવે છે. એવા કાવ્યપ્રકારોમાં સ્તુતિ, સ્તોત્ર, ગહુંલી, ચૈત્યવંદન સ્તવન, ભજન, આરતી, હાલરડાં, થાળ, તીર્થમાળા, પટ્ટાવલી, સલોકા, છંદ, ધવલ, વધાવા, સ્નાત્ર પૂજા, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy