SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૨ ૧૩૯ સૂફિવાદની વિશેષતા દર્શાવતા કેટલાક વિચારો જોઈએ તો – સત્યની પ્રાપ્તિ એ જ જીવનનો ઉદ્દેશ છે.” બાહ્યસૃષ્ટિ સારહીન છે. આંતરિક જયોતિ પથપ્રદર્શકનું કામ કરે છે. અને અંતિમ પ્રકાશ તરફ દોરી જાય છે. આની પ્રાપ્તિ કેવળ આત્મ પ્રકાશ દ્વારા થઈ શકે છે. યોગાભ્યાસ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. જેથી કંઈક અનુભવ પ્રાપ્ત થાય છે. ખાસ કરીને જ્યારે સાંસારિક અસ્તિત્વનું ભાન રહેતું નથી ત્યારે સિદ્ધિની અવસ્થા પ્રાપ્ત થાય છે. જ્યારે સીમિત આત્મા મહાન જ્યોતિમાં મળી તેમાં વિલીન થઈ પોતાને વીસરી જાય છે ત્યારે જ આ અવસ્થા પ્રાપ્ત થાય છે. આ અભ્યાસ સ્વયં શક્ય નથી. ગુરુનું હોવું અતિ આવશ્યક છે. યાત્રા આંતરિક અને માર્ગ અષ્ટ છે. જેના માર્ગ પર ચાલી ચૂક્યો હોય તેજ પથપ્રદર્શક થઈ શકે છે. એવી વ્યક્તિ મુક્ત હોય છે. ઘણી શોધ પછી ગુરુ મળે છે અને તે ત્યારે જ પ્રાપ્ત થાય છે જયારે જિજ્ઞાસા પિપાસા ઉત્કટ હોય. તેની ઓળખ કઠિન છે. પરંતુ સમય અનુકૂળ થતાં તે સ્વયં ઓળખાઈ જાય છે. ગુરુમાં પૂર્ણ શ્રદ્ધા અતિ આવશ્યક છે. અને ગુરુની આજ્ઞાનું પાલન શીધ્ર ફળદાયી નીવડે છે. વિશ્વાસથી જ શિષ્યનો માર્ગ પ્રકાશિત થઈ ઊઠે છે. તેને દેવીદૃષ્ટિ પ્રાપ્ત થાય છે. અને અંતે તે પ્રેમસાગરમાં મગ્ન થઈ જાય છે. (૧૭) સૂફી માટે દરિદ્ર પણ પવિત્ર અને તપમય જીવન જરૂરી છે. આત્મ નિરીક્ષણ તેમજ મનની એકાગ્રતા અનિવાર્ય છે. જેનાં સાધન સદ્ગુરુ દ્વારા જ મળે છે. પોતાના ધ્યેયને વરેલા સૂફી આને પુષ્ટ કરે છે. તેમનો અનુભવ દિવ્યજ્ઞાનની સમાન તર્ક અને બુદ્ધિથી પર છે. તેમ છતાં તેમની શ્રદ્ધાની આધારશીલા હોવાથી તે અંતર્ગત સત્યજ કહેવાશે. તર્ક અને બુદ્ધિથી પર જે એક અગોચર સત્ય છે. તેમાં જ સૂફીઓ વિશ્વાસ રાખે છે. તેમની સાધના ત્યાં સુધી પહોંચવું અને સિદ્ધિ તેમાં એકાકાર થવું તે છે.” (૧૮) સૂફીવાદના ઉપરોક્ત વિચારો જૈન સાહિત્યની પ્રભુવિષયક, ઉપદેશાત્મક અને વૈરાગ્યપ્રેરક ગઝલોના સમર્થન માટે મહત્વનું સ્થાન ધરાવે છે. તપ, ત્યાગ, ઇન્દ્રિય દમન, અનાસક્ત ભાવ, સાધના-યોગાભ્યાસ, આત્માનુભૂતિ જેવા વિચારો ધર્મમાં કેન્દ્રસ્થાને છે એટલે જૈન કવિઓએ પોતાની ગઝલોમાં આધ્યાત્મિક વિચારોને કલાત્મક રીતે ગૂંથી લીધા છે. એ દૃષ્ટિએ વિચારતાં તેમાં સાંપ્રદાયિકતાને ગૌણ કરીને વિચારસૃષ્ટિ તરફ લક્ષ રાખવું જોઈએ તોજ જૈન સાહિત્યની ગઝલોને યથોચિત ન્યાય મળી શકે. ગઝલના સમકાલીન કાવ્યરૂપોનો અભ્યાસ સંલક્ષ્ય બને તે માટે કેટલીક વિગતો અત્રે આપવામાં આવી છે. કસીદા = પ્રશસ્તિ કાવ્ય. રાજા મહારાજાઓની, ખલીફા, અમીર-ઉમરાવોની બિરૂદાવલી ગાવામાં આવે તેવી ગુણગાથા. મસનવી= કથાકાવ્ય. તેમાં કોઈ ઐતિહાસિક ઘટના કે પ્રેમકથાનું વર્ણન દ્વારા નિરૂપણ કરવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy