SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦, જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા મસિયા = શોક કાવ્ય. યુદ્ધ કાવ્યનો વિષય અને તેનો વિસ્તાર થતાં મૃત્યુ-જન્ય શોકવિરહની ભાવનાને વ્યક્ત કરવામાં આવે છે. જૈન સાહિત્યની કેટલીક ગઝલોમાં પ્રસંગનું નિરૂપણ થયું છે, તે લઘુકથા સમાન આસ્વાદ્ય છે. આવી ગઝલો મસનવી સાથે સામ્ય ધરાવે છે. કવિ પ્રભુદાસની નેમનાથની ગઝલમાં નેમનાથ રાજુલનો ત્યાગ કરે છે અને અંતે મુક્તિ પામે છે તે પ્રસંગ કેન્દ્ર સ્થાને છે. રાજુલ કહે નાથ ગએ સાથ પરહરી, નહીં અર્જ મેરી ગજ કછુ દીલમેં ધરી. રાજુલ.” / ૧ / કસીદા જેવી રચનાઓની દૃષ્ટિએ વિચારીએ તો જૈન ગઝલોમાં ગુરુ અને પરમાત્માને કેન્દ્રમાં રાખીને એમનો ગુણાનુવાદ, મહિમા ગાવામાં આવ્યો છે. પ્રભુ પ્રત્યેના સમર્પણ ભાવથી શરણાગતિની પણ અભિવ્યક્તિ થયેલી છે. નીચેનાં ઉદાહરણ ઉપરથી આ વિગત વધુ સ્પષ્ટ થશે. કવિ હંસસાગર શાંતિજિન શાંતિનાદાતા, તુજાગમ બિંબ જગ ત્રાતા, દુઃખિત ભરતે ક્ષમાદાતા, ગુરુ નિગ્રંથ વિચરતા.” કવિ પંડિત વીરવિજયજી સાંઇશું દિલ લગા પ્રાની, નિસાનું પર નવા બાની; કરો ઘટ જલ ભરી જૈસા, ભરૂસા પિંડા કા તૈસા.” . પ્રભુ જેવો ગણો તેવો, તથાપિ બાલ તારો છું, તમે મારા જેવા સમા લાખો, પરંતુ એક મારે તું.” આ. કલાપૂર્ણસૂરિ “ભૂલો પડ્યો છું ભવમહીં, ભગવાન રાહ બતાવજે, જનમો જનમ ને મરણનાં, સંતાપથી ઉગારો.” મુનિ ધુરંધરવિજય દિનરાત ઝૂરું તોય વહાલા કેમ રીઝતો નથી ? અવિરત ઝરે આંસુનયનથી તોય ભીંજાતો નથી.” આ. દક્ષસૂરિ પતિતપાવન તરન તારન, દુઃખી કે દુઃખ નિવારણ, અનાથોં કે સદા પાલન, કરો ભવ પાર ઉતારન.” આ વલ્લભસૂરિ પારસપ્રભુ નાથ તું મેરા, રટું મેં નામ નિત તેરા, વિના તુમ નાથ જિન રાયા, ભવો ભવ દુઃખ બહુ પાયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy