SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૨ छै जिता बे वरण छंद छै । कोइक अण गीत नै सावझ अडल पिण कहै छै । च्यार दूहा होय सौ तौ अड़ियल नै एक दूहौ होय सौ चौसर गाहौ तथा गाथा कहावै । अर्थात् – जिसमें सोलह मात्राएँ होती है, तुकांत दस-दस वर्ण होते हैं, तुकांत दो गुरु होते हैं, अन्त में यमक होता है, वह अड़ियल गीत कहा जाता है । इसमें चार चरण होते हैं। कोई विद्वान् इस गीत को सावझ अड़ल कहते हैं । चार दोहा हो तो अड़ियल गीत और एक दुहा हो तो वह चौसर गाथा कहलाती है। इसके अनुसार नेमजी सलोको में सोलह-सोलह मात्राएँ होनी चाहिए और अन्त में दो गुरु होने चाहिए और यमक भी होना चाहिए । प्रतिलिपिकार की भ्रांति और उच्चारण से इसमे अधिक मात्राएँ भी प्राप्त होती है किन्तु यह अड़ियल गीत ही है। इस सलोको में सोलह मात्राएँ हैं अन्तिम दो गुरु हैं और चरण के अन्त में 'टी' और 'ता' यमक भी है । अतः यह अड़ियल गीत ही ૧. વિવેક વિલાસના લોકો - કવિઓ કાવ્ય સર્જન કરે છે. પણ સહૃદયી ભાવકો કાવ્યનો આસ્વાદ કરે છે. ગદ્ય કરતાં પદ્ય રચના આત્મસાત કરવી કઠિન છે. તેમાં પણ રૂપક કાવ્યનો અર્થ સમજવો અત્યંત કઠિન કાર્ય છે. કાવ્યમાં માત્ર શબ્દોની વ્યવસ્થા નથી પણ શબ્દમાં રહેલો વિશિષ્ટ અર્થ સમજાય ત્યારે ઉચ્ચ કોટિના કાવ્યાનંદની અનુભૂતિ થાય છે. જૈન સાહિત્યમાં સલોકો સંજ્ઞાવાળી રચનાઓ તીર્થંકર મહાપુરુષો અને જૈન દર્શનના વિષયોની પ્રાપ્ત થાય છે. કવિ દેવચંદે વિવેક વિલાસના સલોકોની રૂપકાત્મક કાવ્ય શૈલીમાં રચના કરી જૈન દર્શનના તાત્ત્વિક વિચારોની મિતાક્ષરી ઉલ્લેખ કર્યો છે. કવિની કલ્પનાશક્તિની સાથે રૂપક યોજનાની શક્તિ કવિ પ્રતિભાનો લાક્ષણિક પરિચય કરાવે છે. ૮૪ લાખ જીવયોનિમાં પરિભ્રમણ કરતો આત્મા મુક્તિના શાશ્વત સુખને મેળવવા માટે ક્યારે સમર્થ બને તે વિશેના જૈન દર્શનના વિચારો કાવ્યમાં કેન્દ્રસ્થાને છે. આ અંગેની રસપ્રદ માહિતી નીચે પ્રમાણે છે. મધ્યકાલીન કાવ્ય પરંપરાનુસાર સરસ્વતી, ઇષ્ટદેવ અને ગુરુની સ્તુતીથી કાવ્યરંભ થાય સરસતી માતા તુમ પાયે લાગી, દેવ, ગુરુ તણી આશા માગી, કાયાનગરીનો કહું સલોકો, એકચિત્તે સાંભળો, લોકો / ૧ // સલોકોનું શીર્ષક વિવેક વિલાસ છે પણ તેના અંતઃસ્તલમાં કાયાનગરીના રૂપકાત્મક વિચારો નિહિત છે એટલે પ્રથમ કડીમાં વિષયનો ઉલ્લેખ કરી કાયાનગરી” પ્રત્યે વાચક વર્ગનું ધ્યાન દોરવામાં આવ્યું છે. રચના સમયનો, કવિ નામનો સાંકેતિક નિર્દેશની માહિતી આપતી પંક્તિઓ નીચે મુજબ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy