SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા || ૩૮ || બાંટ ચુંદડીઓ કસબી સોહિએ, દશરા દિવાળી પહેરવા જોઈએ, મોઘાં મૂલનાં કમળાં કહેવાય, એવડું નેમથી પૂરું કેમ થાય. કવિએ સમકાલીન સમાજની પ્રણાલિકાનુસાર આ માહિતી આપી છે. નેમકુમા૨નો વૈભવ તો અત્રે જે સૂચી આપી છે તેથી વધુમાં વધુ આપવા માટે શક્તિ સંપન્ન છે. બત્રીશ હજાર નારી છે જહને, એકનો પાડ ચડશે તેહને, માટે હૃદયથી ફીકર ટાળો, કાકાજી કેરૂ ઘર અજવાળો. ૮૬ એવું સાંભળી નેમ ત્યાં હસિયા, ભાભીના બોલ હ્રદયમાં સિયા, ત્યાં તો કૃષ્ણને દીધી વધાઈ, નિશ્ચે પરણશો તમારો ભાઈ, નેમકુમારનું ‘સ્મિત’ લગ્નની સંમતિ જાણીને ઉગ્રસેન રાજાની રાજકુંવરી રાજિમતી સાથે વિવાહ કરી લગ્નની તૈયારી કરવામાં આવી. પીઠી ચોળે ને માનિની ગાય, ધવળ મંગળ અતિ વરતાયા, તરીયાં તોરણ બાંધ્યાં છે બહાર, મળી ગાય છે સોહાગણ નાર. || ૪૧ || 1188 11 આ સલોકોમાં પરંપરાગત રીતે મધ્યકાલીન શૈલીને અનુરૂપ નેમકુમારના લગ્નની જાનનું વર્ણન થયું છે. પશુઓના પોકારથી નેમકુમાર રથ પાછો વાળીને ગિરનાર જાય છે તેનું નિરૂપણ કરીને રાજુલના વિલાપનો પ્રસંગ પણ સ્થાન પામ્યો છે; એટલે ભૌતિક વિવાહમાંથી આધ્યાત્મિક વિવાહનું નિરૂપણ કરીને આ સલોકો વસ્તુ અને કળાની દૃષ્ટિએ ઉત્તમ રચના થઈ છે. મહાજનની પ્રેરણાથી સલોકો રચ્યા છે. કવિના શબ્દો છે. મહાજનના ભાવ થકી મેં દીધા. વાંચી સલોકો સારો જશ લીધો, રચના સમય વિષે જોઈએ તો સંવત ઓગણીસ શ્રાવણ માસ વદિ પાંચમનો દિવસ ખાસ. વાર શુક્ર ને ચોઘડિયું સારું પ્રસન્ન થયું મનડું મારૂં. કવિ દેવચંદ રચિત આ સલોકો ઉદાહરણ રૂપે અત્રે નોંધ કરી છે. મધ્યકાલીન પઘ રચનાઓ મોટે ભાગે એક યા બીજી રીતે ચરિત્રાત્મક છે. કાવ્ય પ્રકારની દૃષ્ટિએ જુદી હોવા છતાં તેના અંતર્ગત ચરિત્રાત્મક અંશો સ્પષ્ટપણે નિહાળી શકાય છે. ચરિત્રમાં સત્યનો અંશ કેન્દ્ર સ્થાને છે અને જીવન જીવ્યાનો અને નરભવ સફળ કર્યાનું સાક્ષાત્ દૃષ્ટાંત છે. अथ गीत सावझ अड़िय लछण हौ सोलह मत्त वरण दस, पद पद झमक गुरंत । 'किसन' सुजस पढस्त्री किसन, अड़ियल गीत अखंत ॥ શ્૦૦ ॥ अरथ जीके आदकी तथा सारी ही तुकां प्रत मात्रा सोळै होय, तुक प्रत आखिर दस दस होय, तुकांत दोय गुरु होय, अंत में जमक होय सौ अड़ियल गीत कहीजै । तुक प्रत अख्यर दस Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy