SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધાન્ત જ પલટાઈ ગયે, પાક્ષિક ચાતુર્માસિક આદિ પર્વો પૂર્વે સૂર્યોદયકાલીન તિથિઓમાં થતાં હતાં પણ આ નવીન વ્યાખ્યા પ્રમાણે પાક્ષિક અથવા ચાતુર્માસિક પ્રતિક્રમણના ટાઈમે ઉકત પર્વસંબદ્ધ તિથિઓ હોવી જ જોઈએ આવો આગ્રહ થવા માંડ્યો અને પરિણામે ઘણાક નવા ગચ્છ પ્રાચીન પરમ્પરાથી જુદા પડયા, ખરતરગચ્છે યદ્યપિ ચતુર્થીએ સંવછરી અને ચતુર્દશીએ ચૌમાસી કરવાની પ્રાચીન પરમ્પરા કાયમ રાખી પણ ઔદયિક તિથિને અંગે તે પણ અન્ય નૂતનગને મલતો થયો. તિથિની જેમ માસવૃદ્ધિ પ્રસંગે પણ નવીન ગો પ્રાચીન પરમ્પરાથી જુદા પડ્યા, પૂર્વે જ્યારે પ્રાચીન જ્યોતિષનો વર્તાવ હતો તે વખતે માસવૃદ્ધિને અંગે કંઇ પણ વાંધો ન હતો, કેમકે તે પદ્ધતિ પ્રમાણે યુગમાં પૌષ અને અષાઢ એ બે મહીના જ વધતા હતા તેથી માસવૃદ્ધિ-નિમિત્તક કોઈ મતભેદ ન હતો, યદ્યપિ નવા જ્યોતિષને પ્રચાર ઘણું જુના વખતથી ચાલતો હતો પણ માસની હાનિ-વૃદ્ધિ પ્રાચીન–શૈલિએ કરાતી હોઈ વિક્રમની આઠમી નવમી શતાબ્દી સુધી જેન સંધમાં માસ–સંબધી મતભેદ ન હતું, પણ તે પછી પ્રાચીન-પદ્ધતિએ બતનાં તિથિપત્રકે સદાને માટે લુપ્ત થયાં અને તિથિની સાથે મારા સંબધી મતભેદને વધારો થશે, આજે તપગચ્છની પ્રાચીન પરંપરા શ્રાવણની વૃદ્ધિમાં ભાદરવે અને ભાદરવાની વૃદ્ધિમાં બીજે ભાદરવે પર્યુષણ પર્વ માને છે ત્યારે ખરતર આદિ અનેક પરમ્પરાઓ શ્રાવણની વૃદ્ધિમાં બીજા શ્રાવણે અને ભાદરવાની વૃદ્ધિમાં પહેલે ભાદર પર્યુષણ પર્વની આરાધના કરે છે. ૫. તપાગચ્છની તિથિવિષયક પ્રાચીન માન્યતા (૧) ઔદયિક તિથિજ શા માટે મનાય છે? તપાગચ્છની તિથિવિષયક માન્યતા સનાતન માન્યતા હતી, પરાપૂર્વથી જે સંપ્રદાય ચાલ્યો આવતો હતો તેનો જ એક ભાગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001757
Book TitleParvatithi Charcha Sangrah
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherK V Shastra Sangrah Samiti Jalor
Publication Year1937
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy