SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ:–“વર્લ્ડમાનસ્વામિ પછી બારસે પચાસ વર્ષે સ્વાતિસૂરિજીએ ચતુર્દશીમાં ચૌમાસીને પ્રથમ પ્રવેશ કર્યો.” ઉપર પ્રમાણે ચૌભાસી પર્વ પરિવર્તનને અંગે મતભેદ છે, છતાં એટલું તો નિશ્ચિત છે કે ચોથની સંવત્સરી થયા પછી ચૌદશની ચૌમાસી થઈ છે. ૪. બારમી શતાબ્દીના તિથિ અને માસ સંબંધી મતભેદ વિક્રમની બારમી શતાબ્દીના પૂર્વાર્ધ સુધીમાં ઉક્ત ચેાથ અને ચૌદશ સિવાય પર્વતિથિને અંગે કંઈ પણ પરિવર્તન થયું ન હતું. સં. ૧૧૫૯માં ચન્દ્રપ્રભાચાર્યે પૂર્ણિમામાં પાક્ષિક સ્થાપીને પૌયિક ગની સ્થાપના કીધી, તે પછી સાધુ પર્ણિમયક, અંચલ, ખરતર અને આગમિક ગચ્છવાલાઓએ પોતપોતાની માન્યતાઓ સ્થાપિત કરી જેમાં પર્વતિથિઓની માન્યતા પણ સામેલ હતી, દરેક ગચ્છવાલાએ ઔદયિક તિથિ માનવાનું તો કબૂલ કરતા હતા પણ ઔદાયકને અર્થ તેઓ જુદા લગાવતા હતા. સનાતન-પરમ્પરાની ઔદયિક તિથિને અર્થ “સૂર્યોદયકાલીન તિથિ એવો થતો પણ આ નવા સુધારક ગચ્છાએ તેનો અર્થ “પ્રવિષ્ટતિથિ” એટલે “વર્તમાન તિથિ” એવો કર્યો, જેમ વર્તમાન લગ્ન ઉદય પ્રાપ્ત ગણાય છે તે જ પ્રમાણે જે વખતે જે તિથિ વર્તાતી હોય તે જ વખતે તે તિથિને “ઉદયતિથિ કહેવી, આ નવી વ્યાખ્યાથી ઔદયિક તિથિનો १ "आदित्योदयवेलायां, या स्तोकापि तिथिर्भवेत् । ના સંપૂતિ વિયા, મૃતા નોર્થ વિના ” २ जत्थ वि तिहीपवेसो, उदयतिही सा भणिजए लोए । x x तुच्छफलं तिहिअंते। ( तिहिठाणपइन्नये, रुद्रपल्लीयअभयदेवसूरिकृते) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001757
Book TitleParvatithi Charcha Sangrah
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherK V Shastra Sangrah Samiti Jalor
Publication Year1937
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy