SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ આઠમ, અગીઆર અંગોની આરાધના માટે અગીઆરસ અને ચૌદ પૂર્વોના આરાધન અંગે ચૌદશ જણાવેલ છે. આ સિવાય દરેક મહિનાની પુનમ, અમાસ અને તીર્થકર ભગવંતોના સઘળા કલ્યાણક દિવસો પણ પર્વતિથિ તરીકે માનવામાં આવે છે અને ભાદરવા સુદ-૪ને વાર્ષિક મહાપર્વ તરીકે ફરમાવવામાં આવેલ છે. આ સઘળાથે પર્વોનું આરાધન તે તે તિથિઓએ જ કરવું જોઈએ. તિથિનો નિર્ણય કરવા માટે શાસ્ત્રની આજ્ઞા એવી છે કે “સૂર્યોદય સમયે જે તિથિ હોય તે જ પ્રમાણ છે, ઉદયમાં પ્રાપ્ત થતી તિથિ નહિ માનવામાં ૧ – આજ્ઞાભંગ, ૨ – અનવસ્થા, ૩ – મિથ્યાત્વ અને ૪ – વિરાધના જેવા દોષો કહ્યા છે.” શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ આદિ ગ્રંથોના આધારે “જૈન પંચાગમાં દર એકસઠમા દિવસે બાસઠમી તિથિનો ક્ષય આવતો હતો. તેથી એક વર્ષમાં છ તિથિ અને પાંચ વર્ષના યુગને અંતે ૩૦ તિથિનો ક્ષય થતો હતો, આ ત્રીસ તિથિઓમાં બીજ, પાંચમ, આઠમ, અગીઆરસ, ચૌદશ અને પુનમ વિ. પર્વતિથિઓનો ક્ષય પણ આવતો હતો. માસની વૃદ્ધિમાં પોષ અને અષાઢની વૃદ્ધિ આવતી હતી.' જૈન પંચાંગ ઘણા સમય પહેલાં વિચ્છેદ પામ્યું હોવાથી સેંકડો વર્ષોથી તિથિનો નિર્ણય કરવા જૈન સંઘે લૌકિક ટીપ્પણને માન્ય રાખ્યું છે. પંદરમી સદીના પંડિત શ્રી હર્ષભૂષણગણિનો “શ્રી પર્યુષણા સ્થિતિ વિચાર' ગ્રંથમાંનો ઉલ્લેખ તે વાતની સાક્ષી પૂરે છે. તેઓ ફરમાવે છે કે, વર્તમાનમાં વૃદ્ધિ પામેલ કે વૃદ્ધિ નહિ પામેલ તિથિ, માસ, ચોમાસી, પર્યુષણા આદિ પર્વો અને દીક્ષા, પ્રતિષ્ઠા આદિ સર્વ કાર્યો લૌકિક ટીપ્પણ અનુસાર જ સર્વત્ર વ્યવહાર કરાય છે અને તેમાં સર્વ મહિનાની વૃદ્ધિ આવે જ છે.' વિક્રમ સં. ૨૦૧૩ સુધી જોધપુરી ચંડાશુગંડુ પંચાંગના આધારે તિથિઓનો નિર્ણય કરાતો હતો. પરંતુ વિ. સં. ૨૦૧૪થી શ્રી સકળ જૈન સંઘે સર્વાનુમતે બીજા ચાલુ (જન્મભૂમિ) પંચાંગને સ્વીકાર્યું ત્યારથી તે પંચાંગના આધારે જે તિથિ સૂર્યોદય વખતે હોય તે દિવસે તે તિથિ માનવામાં આવે છે. પરંતુ તે પંચાંગમાં જ્યારે કોઈ પર્વ તિથિની ક્ષય કે વૃદ્ધિ આવે છે ત્યારે પૂજ્ય શ્રી ઉમાસ્વાતિજી મહારાજના ‘ક્ષયે પૂવ તિથિઃ કાર્યા વૃદ્ધી કાર્યા, તથોરા એ પ્રઘોષના આધારે ક્ષય હોય ત્યારે પૂર્વતિથિમાં તે તિથિઓનું આરાધન કરવામાં આવે છે અને વૃદ્ધિ હોય ત્યારે બીજી તિથિમાં તે તિથિનું આરાધન કરવામાં આવે છે. આમ કરવામાં શાસ્ત્રની આજ્ઞા સંપૂર્ણપણે જળવાઈ રહે છે. ૭૮ - --- કપર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001751
Book TitleParvatithi Kshay Vruddhi Ange Saral ane Shastriya Samaj
Original Sutra AuthorN/A
AuthorSaddharm Samrakshak Samiti Mumbai
PublisherSadDharm Samrakshak Samiti Mumbai
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy