SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વતિથિઓની તથા શ્રી સંવત્સરી મહાપર્વની આરાધનાને અંગે પૂ. પાદ આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનું શાસ્ત્રાનુસારી મનનીય મંતવ્ય ‘મુંબઈ સમાચાર' તા. ૧૬-૮-૭૨ બુધવારના અંગમાં ‘જય જિનેંદ્ર' વિભાગમાં પૂ. પાદ પરમશાસનપ્રભાવક આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીનું પર્વતિથિઓની આરાધના તથા શ્રી સંવત્સરી મહાપર્વની આરાધનાને અંગે જે મનનીય શાસ્ત્રાનુસારી મંતવ્ય પ્રસિદ્ધ થયેલ છે, તે અમે શ્રી સમસ્ત તપગચ્છ જૈન સંઘના સરળ અને સાફ દિલ આત્માર્થી જીવોને મધ્યસ્થભાવે વાંચવા-વિચારવા માટે શબ્દ શબ્દ નીચે મુજબ રજૂ કરીએ છીએ. જ્ઞાનીઓનું સ્પષ્ટ ફરમાન છે કે, “જેને અંગે શાસ્ત્રની આજ્ઞા મળતી હોય તે વિષયમાં પરંપરાને પ્રાધાન્ય આપી શકાય નહિ. શ્રત વ્યવહારી કોઈપણ આચરણા મૃતનું ઉલ્લંઘન કરીને કરી શકે જ નહિ. વળી જે આચરણા આગમથી વિરુદ્ધ હોય, એ કારણે સાવદ્ય તથા અશુદ્ધિકર હોય, તે આચરણાનો સ્વીકાર તો થઈ શકે જ નહિ, પણ તેવી આચરણાનો ત્રિવિધે ત્રિવિધ ત્યાગ જ કરવો જોઈએ.” - ઉપરોક્ત નિયમને અનુસરીને તિવિદિન અને પર્વારાધન અંગે શાસ્ત્રની આજ્ઞા સ્પષ્ટપણે ઉપલબ્ધ થતી હોવાથી, તે અંગે શાસ્ત્રનાં વચનો દ્વારા જ નિર્ણય થવો જોઈએ. પરંતુ, શાસ્ત્રવચનોથી વિરૂદ્ધ જતી પરંપરાને આગળ કરી શકાય નહિ. શ્રી જૈનશાસન ફરમાવે છે કે, “ધર્મક્રિયાનું પાલન જો હંમેશાં કરો તો તે ઉત્તમ વસ્તુ છે, પણ જો તેમ ન થઈ શકે તો પર્વ દિવસોએ તો અવશ્ય કરો.' ગણધર ભગવંત શ્રી ગૌતમસ્વામીજી ભગવાન શ્રી મહાવીરદેવને પ્રશ્ન કરે છે કે, “હે ભગવંત ! બીજ પ્રમુખ પાંચ તિથિઓએ કરેલા ધર્માનુષ્ઠાનનું શું ફળ થાય છે ?' ઉત્તરમાં ભગવાન ફરમાવે છે કે, “હે ગૌતમ ! બહુ ફળ થાય છે. કેમકે આ તિથિઓમાં પ્રાય: કરીને જીવ પરભવના આયુષ્યને ઉપાર્જ છે.' એ કારણે એ તિથિઓએ તપોવિધાન આદિ ધર્માનુષ્ઠાન કરવું જોઈએ કે જેથી જીવ શુભ આયુષ્ય ઉપાર્જ, વળી બીજી રીતે પણ તિથિઓની આરાધ્યતા ફરમાવતાં જણાવ્યું છે કે, “ગૃહી અને સાધુધર્મ એમ બે પ્રકારના ધર્મના આરાધનને અંગે બીજ, પાંચ જ્ઞાનની આરાધના અંગે પાંચમ, આઠ કર્મોના ક્ષયની સાધના માટે - પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજ----૭૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001751
Book TitleParvatithi Kshay Vruddhi Ange Saral ane Shastriya Samaj
Original Sutra AuthorN/A
AuthorSaddharm Samrakshak Samiti Mumbai
PublisherSadDharm Samrakshak Samiti Mumbai
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy