SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ સંભળાય છે કે, क्षये पूर्वा तिथिः कार्या, वृद्धौ कार्या तथोत्तरा । પર્વ તિથિનો ક્ષય હોય તો પૂર્વની તિથિ કરવી અને વૃદ્ધિ હોય તો પછીની તિથિ કરવી એટલે જ્યારે તિથિની હાનિ કે વૃદ્ધિ હોય ત્યારે ઉપરના નિર્ણયને અનુસરી તિથિ સંબંધી ધર્મકૃત્યો કરવા એટલે, પર્વ તિથિનો ક્ષય હોય તો પૂર્વની તિથિએ તે પર્વ સંબંધી બધાં કૃત્યો કરવાં અને વૃદ્ધિ હોય તો પછીની તિથિએ કરવાં.” હવે આ વખતે વિ. સં. ૧૯૮૯માં ભાદરવા સુદિ-પનો ક્ષય છે. પણ પાંચમ પર્વ તિથિ હોવાથી તેનો ક્ષય ન થાય માટે તેનું કાર્ય ભાદરવા સુદિ-૪થે કરવું જોઈએ અને ભાદરવા સુદિ-૪ સૂર્યોદય સમયથી માંડી ચાર ઘડી અને એક પલ સુધી હોવાથી અને તે પ્રધાન વાર્ષિકરૂપ હોવાથી તેનું કૃત્ય પણ ચતુર્થીએ કરવું જોઈએ. એટલે વાર્ષિક પર્વના કૃત્યમાં પંચમીના કૃત્યનો સમાવેશ થાય. આ સંબંધે શ્રી હીરપ્રશ્નના ચોથા પ્રકાશમાં પણ જો પંચમી તિથિનો ક્ષય હોય તો તે તપ ક્યારે કરવું એ પ્રશ્નનો ઉત્તર પૂર્વની તિથિએ કરવું એવો આપ્યો છે. “યના પંચમી તિથિશ્રુટિતા તવા સત્તપ: પૂર્વમાં તિથો વિતે ।” તે ઉપરથી ચોથને દિવસે પાંચમનાં તપ કરવાનું પ્રાપ્ત થાય છે.” “આવો પ્રસંગ ૧૯૫૨ની સાલમાં બન્યો હતો. તે વખતે ભાદરવા સુદિ-૫નો ક્ષય હોવાથી પર્યુષણ પર્વ સંબંધમાં વિચાર થયેલ છે. આ સંબંધે લુહારની પોળના શ્રાવક શાહ છગનલાલ જેચંદ ઉપર ભાવનગરથી બહુશ્રુત પંન્યાસજી શ્રી ગંભીરવિજયજી મહારાજના બે પત્રો તથા પંન્યાસજી શ્રી પ્રતાપવિજયજી મહારાજ ઉપર શ્રી પૂજ્ય વિજય રાજેન્દ્રસૂરિનો પત્ર એમ ત્રણ પત્રો લુહારની પોળના પંન્યાસજી પ્રતાપવિજયજી મહારાજના ભંડારમાંથી મળ્યા છે. તેમાં ભાદરવા સુદિ-પનો ક્ષય હોય ત્યારે સંવત્સરી ક્યારે કરવી તે સંબંધે ઉહાપોહ કરી ભાદરવા સુદિ-૪ને શુક્રવારે સંવત્સરી કરવાનો અભિપ્રાય આપ્યો છે. તે સિવાય પંન્યાસજી શ્રી પ્રતાપવિજયજી મહારાજના ભંડારમાંથી હસ્તલિખિત પાનું મળ્યું છે. તેમાં સં. ૧૯૫૨ની સાલમાં ભાદરવા સુદિ પાંચમનો ક્ષય હતો ત્યારે બધા સાધુઓની સંમતિ મેળવી ભાદરવા સુદિ-૪ને શુક્રવારે સંવત્સરી કરવાનો વિચાર નિર્ણિત કર્યો છે.” ૩૭ના ચીફ Jain Education International પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001751
Book TitleParvatithi Kshay Vruddhi Ange Saral ane Shastriya Samaj
Original Sutra AuthorN/A
AuthorSaddharm Samrakshak Samiti Mumbai
PublisherSadDharm Samrakshak Samiti Mumbai
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy