SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ જોઈએ કે પાક્ષિકને અંગે માત્ર તિથિઓનો ભોગવટો ગણવામાં આવેલો છે. માનો કે ત્રીજ વિગેરેની તિથિ તૂટી હોય, તો પણ તેનો ભોગવટો થતો જ નથી. ભોગવટા તરીકે તો એક પક્ષથી બીજા પક્ષની વચ્ચે પંદર તિથિઓ આવી જ જાય અર્થાત્ જે તિથિનો ક્ષય થાય છે, તેનો અર્થ તિથિ ભોગવટામાંથી ઉડી જતી નથી, પણ માત્ર તે તિથિ સૂર્ય ઉદયને ફરશે નહિ, તેથી જ તેનો ક્ષય થયો ગણાય છે. ક્ષય થતાં પૂર્વની તિથિમાં આરાધનાની જરૂર અને તેનું કારણ ? અને આ જ કારણથી બીજ. પાંચમ વગેરે પર્વતિથિઓનો ક્ષય હોય છે, ત્યારે તે તે પર્વતિથિની આરાધના પહેલે દિવસે કરી લેવામાં આવે છે. કેમ કે તે તે પર્વતિથિનો ભોગવટો તે તે આગલી સૂર્ય ઉદયવાળી તિથિની પહેલાં પહેલાં થઈ ગયેલો હોય છે અને સૂર્યોદયવાળી તે તે પર્વતિથિ ન મળે તો તેની આગલી તિથિની પહેલી તિથિએ તે તે પર્વતિથિનો ભોગવટો હોવાથી તે તે પર્વતિથિની આરાધના થાય છે, કેમ કે જેમાં જે હોય તેમાં તેનો સમાવેશ કરવો એ રીતિસર છે. પણ ત્રીજ, છઠ, નોમ વિગેરે સૂર્યોદયવાળી તિથિઓમાં બીજ, પાંચમ કે આઠમ માનવા જવું તે કેવળ જૂઠ અને કલ્પના માત્ર જ છે. જો કે આરાધનાને માટે તે તે પર્વતિથિ સૂર્યોદયવાળી જ લેવાની જરૂર છે. પણ તે પર્વતિથિ તે તે સૂર્યોદયવાળી ન મળે અગર ક્ષયની જગા પર બે તિથિ આરાધવા લાયક હોય તો અતીત અને વગર ભોગવટાવાળી તિથિ લેવા કરતાં ચાલુ ભોગવટાવાળી તિથિ લેવી એ જ સરળ અને બુદ્ધિમાનોને લાયકનો રસ્તો છે. એવી રીતે વૃદ્ધિમાં પણ માત્ર તિથિનો ભોગવટો વધી, તે તે તિથિઓ બે સૂર્યોદયને ફરસવાળી થાય છે. પણ પખવાડીયામાં કોઈ પણ સોળમી તિથિ આવતી નથી. વૃદ્ધિતિથિમાં ઉત્તરતિથિ કરવાનું કારણ ? પૂર્વ સૂર્યોદયવાળી તિથિ કરતાં પરસૂર્યોદયવાળી તિથિ બળવતી ગણાવવાથી જ આગલી તિથિએ એ અનુષ્ઠાન થાય છે, સંપૂર્ણતા પણ તિથિની ઉત્તર દિવસે જ છે. આ બધું કહેવાનો ભાવાર્થ એટલો જ કે પાક્ષિક તિથિ જે ચતુર્દશી છે, તેની મર્યાદામાં સૂર્યોદય ઓછા થાય કે વધારે થાય તેનો હિસાબ ગણાય નહિ, પણ માત્ર તિથિનો ભોગવટો અને ગયેલી તિથિઓની સંજ્ઞાઓ જ ગણાય. સંવત્સરી મહાપર્વની તિથિ કદિ પલટે જ નહિ ! સંવત્સરીના પહેલાના આઠ દિવસોમાં જે જે કોઈ તિથિની વૃદ્ધિ કે હાનિ પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ નવા - - - ૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001751
Book TitleParvatithi Kshay Vruddhi Ange Saral ane Shastriya Samaj
Original Sutra AuthorN/A
AuthorSaddharm Samrakshak Samiti Mumbai
PublisherSadDharm Samrakshak Samiti Mumbai
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy