SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ સંવત્સરી પાંચમની ચોથે નિયત કરી, એ પછી એ બેમાં મહત્ત્વની તિથિ કઈ ગણાય ? ચોથ જ મહત્ત્વની તિથિ ગણાય. ચોથે સંવત્સરી કરનારાઓમાં પાંચમના દિવસે પારણાં નહિ કરનારા કેટલાક મળે ? પાંચમ એ તિથિ જરૂર છે, બીજી શુક્લ પાંચમીઓ જેવી એ પણ છે, પરંતુ ભાદરવા સુદ ચોથના મહત્ત્વ આગળ પાંચમનું મહત્વ કાંઈ જ નથી, કારણ કે ભાદરવા સુદ ચોથે સંવત્સરી મહાપર્વ નિયત થયું છે. એટલે સુદ ચોથ ઉદયતિથિ તરીકે મળતી હોય, તે છતાં પણ પાંચમના ક્ષયને નામે ત્રીજે ચોથની ખોટી કલ્પના કરવી, એ વ્યાજબી ગણાય જ નહિ. આથી સંવત-૧૯૫રમાં, ભાદરવા સુદ પાંચમનો ક્ષય આવ્યો તો ય, ભાદરવા સુદ ચોથ ઉદયતિથિના દિવસે જ સંવત્સરી કરાઈ. એવી જ રીતે, સંવત-૧૯૬૧માં અને તે પછી સંવત-૧૯૮૯માં સ્વતંત્રપણે જોવા-વિચારવાને પ્રસંગ નહિ આવેલો. માત્ર સ્વર્ગસ્થ પરમ ગુરુદેવશ્રીજી કહેતા તે તિથિ કરતા. કેટલીક વાર તેઓશ્રી એવું બોલતાં કે, “પૂનમ અમાસની ક્ષય-વૃદ્ધિને અંગે ખોટું ચાલી પડ્યું છે. સારું છે કે-સંવત્સરી જળવાઈ રહી છે અને એ અમે સાંભળેલું. વાત એ છે કે – સંવત-૧૯૫૨ અને ૧૯૮૯માં ભાદરવા સુદ પાંચમનો ક્ષય આવવા છતાં પણ, ચોથ ઉદયતિથિના દિવસે જ સંવત્સરી થઈ અને એમ ચોથ જળવાયા કરતી હતી. સંવત-૧૯૫૨માં ચોથને નહિ સાચવનારા માત્ર બે સાધુ અને ત્રણ શ્રાવકો હતા એમ કહેવાય છે, સંવત-૧૯૬૧માં તે સૌએ ચોથને બરાબર સાચવી હતી અને સંવત-૧૯૮૯માં અમુક સમુદાય જુદો પડ્યો હતો. સૌથી મોટો દહાડો જળવાતો, તેથી બીજી ભૂલભાલ ચાલી આવેલી તે ચાલતી હતી. એ પછી, સંવત-૧૯૯રમાં જ્યારે ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિ આવી, ત્યારે ચોથ ઉદયતિથિએ સંવત્સરી નહિ કરતાં, ઘણાઓએ પહેલી પાંચમના દિવસે સંવત્સરી કરી, એટલે મોટો વિક્ષેપ ઉભો થવા પામ્યો. પહેલાં તો ચોથ જળવાતી, એટલે કોઈ વાર ચોથના અવલંબને બીજી ભૂલભાલો સુધારવાની શક્યતા રહેતી હતી, પણ સંવત-૧૯૯રમાં જેઓએ ચોથને ય જાળવી નહિ, તેઓએ સાચી સમજવાળાઓને તિથિદિન અને પર્વારાધનને અંગેની બધી ય ભૂલભાલોને તરત જ ખુલ્લી કરી નાખવાની અને સુધારી લેવાની સ્થિતિમાં મૂકી દીધા. સંવત-૧૯૯રમાં જો સંવત-૧૯૫૨, ૧૯૬૧ અને ૧૯૮૯ની માફકેય ચોથ જળવાઈ હોત. તો બીજી ભૂલભાલો આજ સુધીમાં પણ ખુલ્લી થઈ હોત કે નહિ અને સુધરી હોત કે નહિ, એ કહી શકાય નહિ. પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાચાર- - -- -- ૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001751
Book TitleParvatithi Kshay Vruddhi Ange Saral ane Shastriya Samaj
Original Sutra AuthorN/A
AuthorSaddharm Samrakshak Samiti Mumbai
PublisherSadDharm Samrakshak Samiti Mumbai
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy