SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ કરાવ્યાનો દિવસ, આ બધા વિશિષ્ટ આરાધના કરવાના દિવસો છે. એ માટે તિથિ જોઈએ. શ્રાવક પ્રભાતે ઊઠીને શુભ વિચારણા કરે તેમાં ‘અદ્ય ના તિથિ: િ જ્વાળમ્ ?' આજે કઈ તિથિ, કયું કલ્યાણક ? એ પણ હંમેશા વિચારવાનું છે અને પછી તે તે તિથિને અનુરૂપ આરાધના કરવા તેણે ઉદ્યમ કરવાનો છે. લૌકિક પંચાંગની સ્વીકાર્યતા : તિથિઓનો નિર્ણય કરવા માટે પંચાંગ જોઈએ. જૈન ટીપ્પણાનો વિચ્છેદ થયો હોવાથી ઘણા સમયથી લૌકિક ટિપ્પણાના આધારે આપણે તિથિનો નિર્ણય કરીએ છીએ. આપણે ત્યાં ‘અધ્યાત્મ કલ્પદ્રુમ' ગ્રંથનું વાંચન કરનારા ઘણા છે. એ ‘અધ્યાત્મ કલ્પદ્રુમ’ ગ્રંથના રચયિતા પૂજ્ય આચાર્યદેવ શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા છે. તેઓશ્રીની સેવામાં રહેલા પંડિત શ્રી હર્ષભૂષણ ગણિવરજીએ સં. ૧૪૮૬ની સાલમાં ‘શ્રી પર્યુષણા સ્થિતિ વિચાર' નામક ગ્રંથ રચ્યો છે. એ ગ્રંથમાં તેઓશ્રી સ્પષ્ટ જણાવે છે કે : विषमकालानुभावाज्जैनटिप्पनकं व्यवच्छिन्नं, ततस्तत्प्रभृति खण्डित - स्फुटिततदुपर्यष्टमी - चतुर्दश्यादिकरणे तानि सूत्रोक्तानि न भवन्तीत्यागमेन लोकैश्च समं परं विरोधं विचार्य सर्वपूर्वगीतार्थसूरिभिरागममूलमिदमपीति, प्रतिष्ठा - दीक्षादिसर्वकार्य - मुहूर्तेषु लौकिकटिप्पनकमेव प्रमाणीकृतं; "सुनिश्चितं नः परतन्त्रयुक्तिषु, स्फुरन्ति याः काश्चन सूक्तिसंपदः । તવેવ-તા: પૂર્વમહાર્ણવોËતા, નળુ: પ્રમાળ નિનવાવવિપુષ:।।" इति श्री सिद्धसेनदिवाकरवचनात् । अतः सांप्रतगीतार्थसूरिभिरपि तदेव प्रमाणीक्रियमाणमस्ति ।। - પર્યુષળાસ્થિતિવિચાર || ભાવાર્થ :- વિષમ કાળના પ્રભાવથી જૈન ટીપ્પણાનો વિચ્છેદ થયેલો છે. ત્યારથી ભાંગેલ તૂટેલ તે ટીપ્પણા ઉપરથી આઠમ, ચૌદશ આદિ કરવાથી તે સૂત્રોક્ત થતી નથી, એમ આગમ અને લોકની સાથે બહુ વિરોધનો વિચાર કરીને સર્વ પૂર્વ ગીતાર્થ આચાર્યદેવોએ “આ પણ આગમના મૂળવાળું છે.” એમ પ્રતિષ્ઠા, દીક્ષા આદિ સર્વ કાર્યોના મુહૂર્તોમાં લૌકિક ટીપ્પણું જ પ્રમાણ કર્યું છે. પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ Jain Education International For Private & Personal Use Only 3 www.jainelibrary.org
SR No.001751
Book TitleParvatithi Kshay Vruddhi Ange Saral ane Shastriya Samaj
Original Sutra AuthorN/A
AuthorSaddharm Samrakshak Samiti Mumbai
PublisherSadDharm Samrakshak Samiti Mumbai
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy