SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ પૂનમ કે બે અમાસ ન હોય, તે રીતે જે પર્વતિથિઓના ક્ષય પ્રસંગમાં એકમ+બીજ ભેગા ન થાય, ૪+૫ ભેગા ન હોય, ૭+૮ ભેગા ન હોય, ૨૦+22 ભગત ન થાય, ૨૩+૨૪ ભેગા ન થાય અને ૨૪+૨૫ કે ૨૪+૦)) ભેગા ન થાય, આવી અસુવિહિત અશાસ્ત્રીય પ્રણાલી અજ્ઞાનતાથી શરૂ કરી મુગ્ધ લોકોને પર્વતિથિઓની આરાઘનાથી વિમુખ રાખ્યા, એટલે જેના પરિણામે પર્વદિવસોની વાસ્તવિક ઔદયક તિથિનિયત આરાધનાથી લોકો વંચિત રહેવા લાગ્યા. માટે જ વિ. સં. 2૯૯૩ની સાલથી શાસ્ત્રાનુસારી સુવિહિત પરંપરા માન્ય ભીંતીયા પંચાંગો આરાઘનાના ખપી પૂ. સુવિહિત આચાર્યદેવોની પ્રેરણાથી જ્યારથી શરૂ થયા, ત્યારે જો કે અજ્ઞાને લોકોએ કોલાહલ શરૂ કર્યો ને તેમાં જાણકારો મા અંગત કારણસર જાવા છતાં યે કોલાહલ કરનાર એજ્ઞાનીઓના ટોળામાં ભળ્યા, છતાં યે આજ દિવસ સુધી શાસ્ત્રાનુસારી સુવિદિત પરંપરામાન્ય તે પંચાંગોની પ્રવૃત્તિ તથા તેને મળતો આદર ચાલું જ છે, જે આરાઘનાના પ્રયી આત્માઓને માટે પર્વદિવસોની સાચી આરાઘનાની શુભ પ્રવૃત્તિ ત્યાથી જૈનસંઘમાં શરૂ થઈ. “વિ સં. ૧૫૨માં ભાદરવા સદિ-પનો ક્ષય હતો. ત્યારે સુદ-૪-૫ ભેગા કરીને આરાધના સર્વ સંઘે કરેલી. તે માટે “જૈન ધર્મ પ્રકાશમાં કુંવરજીભાઈએ સ્પષ્ટ જણાવેલ છે કે બાર તિથિના ક્ષય-વૃદ્ધિ હોય છે ! અમારા તરફથી ગ્રાહકોને દશ વર્ષ થયાં જૈન પંચાંગ ભેટ દાખલ આપવામાં આવે છે. તેનો પ્રારંભ શ્રીમત્ મુનિરાજ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજની હયાતિમાં કરેલો છે. તે વખતે તેઓ સાહેબે આપણા જૈન સમુદાયમાં તિથિના નિર્ણયને માટે પંડિત શ્રીધર શીવલાલ તરફથી પ્રગટ થતું જોધપુરી ગંડુ પંચાંગ બતાવેલું હતું. તેના આધારે અદ્યાપિ પર્યત અમે પંચાંગ તૈયાર કરીએ છીએ. તેમાં જ્યારે બાર તિથિ માંહેની કોઈપણ તિથિનો ક્ષય હોય છે, ત્યારે અથવા વૃદ્ધિ હોય છે ત્યારે આપણી તપાગચ્છની સમાચારીને અનુસારે “ક્ષયે પૂર્વા વૃદ્ધો ૩ત્તરા” એટલે જ્યારે બાર તિથિમાંની કોઈપણ તિથિનો ક્ષય હોય, ત્યારે તેની પૂર્વલી તિથિનો ક્ષય લખીએ છીએ અને વૃદ્ધિ હોય છે ત્યારે ઉત્તર તિથિનો એટલે બીજા દિવસને તિથિ તરીકે માન્ય રાખીને પ્રથમનો દિવસ ત્યાર અગાઉની તિથિમાં ભેળવીને તે આગલી તિથિનું દ્વિત્વ-બેપણું કરીએ છીએ. ૯૮૯-બતમારા નજીક પૂર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજ ના જી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001751
Book TitleParvatithi Kshay Vruddhi Ange Saral ane Shastriya Samaj
Original Sutra AuthorN/A
AuthorSaddharm Samrakshak Samiti Mumbai
PublisherSadDharm Samrakshak Samiti Mumbai
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy