SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) ઉપરોક્ત પાઠોની વાતોનો શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથોની સાથે વિરોધ આવે છે. તેથી પણ અપ્રમાણિત છે. (૫) ‘ઉદયમ્મિ જા તિહી’ અને ‘ક્ષયે પૂર્વાં.’ શાસ્ત્રવચનોથી વિરુદ્ધ પ્રરૂપણા કરી છે. માટે અપ્રમાણિત છે. (૬) પાઠોમાં પરસ્પરવિરુદ્ધ વાતો કરી છે. એકબાજું પૂનમ-અમાસની વૃદ્ધિ હોય તો તેરશની વૃદ્ધિ કરવાની કહી છે અને તેમાં પૂર્વાચાર્યો વડે આવું કરાય છે અને કરાવાય છે, એવું કારણ આપ્યું છે. બીજી બાજું જૈનાગમ પ્રમાણે પૂનમ-અમાસની વૃદ્ધિ ન આવે એમ કહે છે. અને ત્રીજી બાજું કહે છે કે બે પૂનમમાંથી ઉદ્દયવાળી પૂનમ ગ્રહણ કરવી અને તે પણ બીજી જ પૂનમ, નહિ કે પહેલી ? (આવો પરસ્પર વિરુદ્ધ વાતો કરતો પાઠ પ્રમાણિત કેવી રીતે બને ?) ૭) તે પાઠમાં પૂર્વાચાર્યો વડે પૂનમ-અમાસની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિની વાત કરાય છે, કરાવાય છે, તે તદ્દન ખોટો હેતુ આપ્યો છે. કારણકે શ્રાદ્ધવિધિકાર આદિ પૂર્વાચાર્યો આવું કહેતા જ નથી. ૮) ઉપરોક્ત શાસ્ત્રોપાઠોને કોઈપણ જૈનાગમ કે જૈનાગમમૂલક પ્રકરણ ગ્રંથોનું સ્પષ્ટ કે અર્થાપત્તિથી સમર્થન મળતું નથી. પ્રત્યુત જૈનાગમથી વિરુદ્ધ સિદ્ધ થાય છે. ૯) એક બાજું પૂનમ-અમાસની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિનું સૂચન કર્યું અને બીજી બાજું પોતાને ઈષ્ટ તેરસની વૃદ્ધિને બાજું પર રાખી બે પૂનમ હોય તો બીજી પૂનમ ગ્રહણ કરવાની વાત કરી, તે વદતો વ્યાઘાત છે. ૧૦) પૂનમ-અમાસની વૃદ્ધિએ તેરસની-વૃદ્ધિ કરવામાં કોઈ કારણ-હેતુ આપી શક્યા નથી. ૧૧) આ પાઠોનું સમર્થન પૂર્વેના કોઈ પ્રમાણિક ગ્રંથોથી થયું નથી. તેથી તે વિના નિર્ણયાત્મક બની શકે નહિ. ૧૨) ઉપરોક્ત શાસ્ત્રપાઠ માં કહ્યું કે ...... ‘પૂનમ-અમાસની જૈનાગમમાં વૃદ્ધિ આવતી નથી. પરંતુ લૌકિક શાસ્ત્ર પ્રમાણે વૃદ્ધિ આવે છે માટે ? ઉપરની વાતમાં ઘણો વિસંવાદ છે. કારણકે (૧) અન્યતિથિઓ માટે લૌકિક ટીપ્પણાને માન્ય કરાયું છે અને પૂનમ-અમાસની વૃદ્ધિ આવે ત્યારે લૌકિક ટીપ્પણાને અમાન્ય કર્યું છે. તેમાં કારણ આપ્યું છે કે જૈનટીપ્પણામાં પૂનમ-અમાસની વૃદ્ધિ આવતી Jain Education International ૭૮ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy