SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૬ ૨૭ પેજની પત્રિકા લખનારે પત્રિકાના પૃ. ૧૮ ઉપર એકતિથિની માન્યતાને પુષ્ટ કરતા શાસ્ત્રપાઠો આપ્યા છે... તે અપ્રમાણિત છે, એવું આગળ પાછળના અનુસંધાન પરથી સ્પષ્ટ જણાય છે. (પત્રિકા લેખકના જણાવ્યા પ્રમાણે તે શાસ્ત્રપાઠો ૧૭૯૨ ની સાલની પાક્ષિક વિચાર” પ્રતના છે.) તેના અંશો નીચે પ્રમાણે છે. જે પર્વતિથિનો ક્ષય હોય તો પૂર્વતિથિનો ક્ષય કરવો, એ પ્રમાણે ત્રિલોકનાથે (જિનેશ્વરે) આગમ વચન કહ્યું *** એ પ્રમાણે ભાદરવા સુદ પાંચમનો ક્ષય હોય ત્યારે ભાદરવા સુદ-ચોથનો ક્ષય કરવો અને કરાવવો. તેથી (પૂનમ/અમાસના ક્ષયે તેરસનો ક્ષય જ યુક્તિ-યુક્ત છે. ૪૪ પૂનમ-અમાસની વૃદ્ધિ હોય તો તેરસની વૃદ્ધિ કરવી. શા માટે આવું? સાચી વાત, પરંતુ પૂર્વાચાર્યો વડે આવું કરાય છે અને કરાવાય છે. કેમ? પૂનમ-અમાસની જૈનાગમ પ્રમાણે વૃદ્ધિ ન આવે. પરંતુ લૌકિક શાસ્ત્ર પ્રમાણે વૃદ્ધિ આવે છે માટે .... * *.. બે પૂનમમાંથી એક જ ઉદયવાલી પૂનમ ગ્રહણ કરવી. અને તે પણ બીજી પૂનમ, નહીં કે પહેલી ... *** ... આ પ્રમાણે ભાદરવા સુદ પાંચમની ક્ષય અને વૃદ્ધિ વખતે ત્રીજની ક્ષય અને વૃદ્ધિ કરવી. એમાં કદાગ્રહથી ઘેરાવાનું નહીં.' (વાચકોની અનુકૂળતા માટે તે કહેવાતા શાસ્ત્રપાઠોનો ગુજરાતી અર્થ આપ્યો છે. પ્રાય આ પાઠો લવાદી ચર્ચામાં આ વિજય દેવસૂરિએ રચેલા તરીકે કહેવાતા મતપત્રકના અંશો છે.) સમીક્ષા : (૧) આ ગ્રંથના કર્તાનું નામ સૂચવ્યું નથી. તેથી કર્તાના નામ વિના કોઈ વચન પ્રમાણભૂત ગણાય નહિ. (૨) આ પાઠોમાં કોઈપણ ગ્રંથની સાક્ષી વિના રજૂઆત કરાઈ છે. તેથી અપ્રમાણિત (૩) “આગમ વચને કહ્યું છે - આવો ઉલ્લેખ કર્યો છે. પરંતુ તે આગમવચન આપ્યું નથી કે કયા આગમનું ઉદ્ધરણ છે, તે પણ જણાવ્યું નથી. તેથી અપ્રમાણિત છે. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy