SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. આ રીતે અમુક અંશ લૌકિક ટીપ્પણાનો માનવાનો અને અમુક અંશ ન માનવાનો આ કયા ઘરનો ન્યાય ? ૧૩) શ્રીદેવસૂરિપકના નામે કેટલીક વાતો પણ વિભાગ-૭, પૃ-૧૮ ઉપર કરી છે. છે. પરંતુ તે પણ અપ્રમાણિત છે. કારણ કે (૧) શ્રીદેવસૂરિ મ. નો તે પટ્ટક હોવામાં કોઈ પ્રમાણ નથી (૨) અન્ય શાસ્ત્રોથી વિરુદ્ધ પ્રરૂપણા પૂ. શ્રીદેવસૂરિ મ. કરે તે માનવામાં આવી શકે તેમ નથી. (૩) તે પટ્ટકમાં પોતાની માન્યતાના સમર્થનમાં કોઈ ગ્રંથની સાક્ષી, હેતુ કે યુક્તિ આપી જ નથી. ૧૪) ઉપરોક્ત શાત્રપાઠવાળા ‘પાક્ષિક વિચાર’ પ્રતનો રચના સમય સં ૧૭૯૨ જણાવે છે. તે પણ ઘણી વિચારણા માગી લે છે. કારણ કે વિ.સં. ૧૯૩૧ માં (૧) મહોપાધ્યાય શ્રીમાનવિજયજી ગણિવર દ્વારા વિરચિત અને મહોપાધ્યાય ન્યાયવિશારદ શ્રી યશોવિજયજી મહારાજા દ્વારા સંશોધિત શ્રીધર્મસંગ્રહ ગ્રંથના ‘તિથિશ્વ પાતઃ .. કાર્યલોકાનુમૈરિહઃ ના આ પાઠ સાથે વિરોધ આવે છે. એક જ સૈકામાં રચના થયેલા ગ્રંથમાં પ્રરૂપણામાં ફેરફાર કેવી રીતે સંભવિ શકે ? આ જ રીતે વિ.સં. ૧૭૨૮ માં પૂ.આ. શ્રી જ્ઞાનવિમલસૂરિજી મ. દ્વારા વિરચિત શ્રીપાક્ષિક પર્વસાર વિચાર સાથે પણ વિરોધ આવે છે. તે જ રીતે ૧૫-૧૬-૧૭ સૈકામાં સુવિહિત સમર્થ શાસ્ત્રકાર પરમર્ષિઓ દ્વારા રચાયેલા ગ્રંથો સાથે વિરોધ આવે તે પ્રત કેવી રીતે પ્રમાણિત બની શકે? અને તે પૂ. આ શ્રી. દેવસૂરિ મ. નો જ પટ્ટક છે, તે કેવી રીતે માની શકાય ? (ઉપરોક્ત શાસ્ત્રપાઠો પરિ-૪ માં જેવા.). આમ એકતિથિ પક્ષની માન્યતાની પુષ્ટિ માટે રજૂ કરાયેલા કહેવાતા શાસ્ત્રપાઠો, અપ્રમાણિત હોવાથી તિથિવિષયક નિર્ણયમાં માન્ય બની શકે જ નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy