SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) ઉપરની પ્રશ્નોત્તરીમાં પુર્ણિમા – અમાસની વૃદ્ધિમાં ઔદયિકી બીજી તિથિ જ આરાધ્ય બતાવી છે. તેથી વૃદ્ધૌ કાર્યા તથોત્તરા’ વૃદ્ધિમાં પહેલી છોડીને બીજી તિથિ ગ્રહણ કરવી-બીજી તિથિએ આરાધના કરવી-આવો જે અર્થ બેતિથિપક્ષે કર્યો છે, તે યોગ્ય જ છે. (૫) પૂ. સા. ભ. શ્રી હીરસૂરિજી મહારાજાને “થે પૂવ.' પ્રઘોષમાંના કાર્યા’ શબ્દનો અર્થ ‘આરાધ્યા જ ઈષ્ટ હતો. તેથી પ્રશ્નના ઉત્તરમાં વૃદ્ધિમાં ઔદયિકી તિથિબીજી તિથિ આરાધવાનું સૂચન કર્યું છે. આનાથી ૨૭ પૃષ્ઠીય અનામી પત્રિકાના લેખકશ્રીએ પૃ. ૫ ઉપર કરેલી ચર્ચા માત્ર વિતંડાવાદ છે. જો પ્રઘોષગત કાર્યા” શબ્દ આરાધના કરવા માટે પ્રયોજાયો નથી, તો આરાધના માટે ક્યો શબ્દ છે, તે તમે જણાવી શકશો? (૬) ૨૭ પૃષ્ઠીય અનામી પત્રિકાકારે વિભાગ - ૮, પૃ. ૧૬ ઉપર હીરપ્રશ્નોત્તરના વિષયમાં કરેલી સમીક્ષા તદ્દન અનુચિત છે. પ્રથમ મુદ્દામાં લૌકિક પંચાંગગત પાંચમ-પૂનમનો ક્ષય સ્વીકાર્યા બાદ જૈન પંચાંગનું ગાણું ગાવાનું ચાલું કર્યું છે. તે પૂ. આ. ભ. હીરસૂરીશ્વરજી મહારાજાની અવજ્ઞા છે. કેમકે તેઓશ્રીને લૌકિક પંચાંગ સૂચિત પાંચમ – પૂનમનો ક્ષય માન્ય છે. તેથી પૂનમનો ક્ષય હોય ત્યારે પ્રઘોષ અનુસાર ચૌદસ-પૂનમ ભેગા આવે, તો છઠ ક્યારે કરવો, તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે. તેના જવાબમાં તપ તેરસ-ચૌદસનો જણાવ્યો છે. અને તેરસે ભૂલાઈ જવાય તો ચૌદસ -એકમનો જણાવ્યો છે. આનાથી બે વાત સિદ્ધ થાય છે. ૧) પૂનમના ક્ષયે ચૌદસનું કાર્ય તો ચૌદસે જ કરવાનું છે. ઉદયાત્ ચૌદસ વિરાધવાની નથી. ૨) તેરસનો ઉપવાસ ભૂલી જવાય તો ચૌદસ-એકમે કરવો. તેથી ચૌદસ-પૂનમ ભેગા માનવા – લખવામાં લેશમાત્ર દોષ નથી. બીજી એક મહત્ત્વની વાત એ છે કે પૂનમના ક્ષયે જો તેરસનો ક્ષય થતો હોત તો પૂ. આ. ભ. શ્રી હીરસૂરિજી મહારાજાએ ૧૪-૧૫ નો જ છઠ્ઠ કરવાનું વિધાન કેમ ન કર્યું? અને ૧૩-૧૪ નો છઠ કરવાનું વિધાન કેમ કર્યું? એક તિથિની માન્યતા મુજબ પૂનમના ક્ષયે તેરસનો ક્ષય કરવાથી પંચાંગમાં દિવસો ૧, ૨, 000 900 ૧૧,૧૨,૧૪,૧૫ વ. ૧ આ રીતે આવે. તેથી છઠ ચૌદસ - પૂનમે જ કરવાનું કહેવું જોઈએ પણ તેવું કહ્યું નથી-તેથી પૂનમનો ક્ષય યથાવત્ માન્ય રાખી પ્રઘોષ અનુસારે પૂર્વના દિવસમાં તેનો સમાવેશ કર્યો છે. અને તેથી પૂ. ૫૬ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy