SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર: મુખ્યવૃત્તિથી તેણે ત્રીજથી અઠ્ઠમ કરવો જોઈએ. જે તેણે કદાચ બીજથી અક્કમ કર્યો હોય તો પાંચમનું એકાસણું કરવા માટે આગ્રહ નથી. અર્થાત્ જેવી તેની ઈચ્છા, કરે તો સારું. प्रश्न : पंचमी तिथिस्त्रुटिता भवति तदा तत्तपः कस्यां तिथौ ? पूर्णिमायां च त्रुटितायां कुत्रेति ॥५॥ उत्तरम् : अथ पंचमी तिथिस्त्रुटिता भवति तदा तत् तप: पूर्वस्यां तिथौ क्रियते । पूर्णिमायां च त्रुटितायां त्रयोदशी - चतुर्दश्योः क्रियते, त्रयोदश्यां तु विस्मृतौ प्रतिपद्यपीति II II (પૃ. ૨૮) અર્થ : પ્રશ્ન : પાંચમ તિથિ તૂટી હોય તો તેનો તપ કઈ તિથિમાં કરવો ? અને પૂર્ણિમા તૂટી હોય તો શામાં કરવો ? ઉત્તર : પાંચમ તિથિનો ક્ષય હોય ત્યારે તેનો તપ પૂર્વતિથિમાં કરાય છે, પૂર્ણિમા તૂટી હોય ત્યારે તેરસ-ચૌદસમાં કરવો. તેરસ ભૂલી જવાય તો પડવે પણ. અર્થાત્ પડવે કરવો. (પૂર્ણિમાના ક્ષયે તેરસ – ચૌદસનો છઠ્ઠ કરવાનો છે. પરંતુ ચૌદસનું કાર્ય તો ચૌદસે જ થાય. તેરસનો ઉપવાસ ભૂલી જવાય તો તે ઉપવાસ એકમના પણ કરી શકાય, એમ સમજવાનું છે.) ટીપ્પણી : (૧) અકબર બાદશાહ પ્રતિબોધક પૂ. આ. ભ. શ્રી. હીરસૂરીશ્વરજી મહારાજાની માન્યતા પ્રમાણે પર્વ-તિથિની ક્ષય-વૃદ્ધિ થઈ શકે છે. (૨) પાંચમ, અમાસ, પૂનમનો ક્ષય કે વૃદ્ધિ ત્યારે પણ માન્ય હતી, માટે જ પાંચમના ક્ષયે અને પૂણિમાના ક્ષયે તપ ક્યારે ક્યા દિવસોમાં કરવો તે પ્રશ્ન ઉપસ્થિત થયો હશે ને? (૩) જો પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય અને પૂનમના ક્ષયે તેરસનો ક્ષય તે વખતે થતો હોત, તો તેનો ઉલ્લેખ કર્યા બાદ જ તપ ક્યા દિવસે કરવું, તેનું વિધાન છ્યું હોત પરંતુ એવું નથી, તેથી પાંચમ –પૂનમનો ક્ષય માન્ય રાખી તપ અંગે વિધાન ક્યું ૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy