SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રી. હીરસૂરિ મહારાજાએ જણાવ્યા મુજબ પૂનમના ક્ષયે નીચે પ્રમાણે પંચાંગમાં દિવસો આવશે... ૧, ૨, 000 000 ૧૨,૧૩,૧૪+૧૫, વિ-૧, જે બે તિથિની માન્યતા મુજબ છે. ૨૭ પૃષ્ઠીય પત્રિકાના લેખકને પૃ. ૧૬ ઉપરના બીજા મુદ્દામાં તપઅંગે પ્રશ્ન પૂછાયો છે, તેનું રહસ્ય પણ સમજાયું નથી અથવા તો કદાગ્રહ સમજ હણી નાખી છે, કાં તો સ્વ – માન્યતાની પુષ્ટિ માટે ગાડી બીજા પાટે ચઢાવી છે. એક તિથિપક્ષની માન્યતા પ્રમાણે પૂનમના ક્ષયે તેરસનો ક્ષય કરવાથી ૧) ઉદયાત્ ચૌદસની વિરાધના થાય છે. કારણ જે દિવસે ચૌદસની આરાધના એકતિથિ પક્ષ કરે છે, ત્યારે તો તે દિવસે ઉદયાત્ તેરસ હોય છે. તેથી ચૌદસની વિરાધના થાય છે, સાથે સાથે “ઉદયશ્મિ' શાત્રવચનનું ઉલ્લંઘન થાય છે. બે તિથિપક્ષની માન્યતા પ્રમાણે પૂનમના ક્ષયે ચૌદસમાં પૂનમની આરાધના કરવાથી અર્થાત્ ચૌદસ – પૂનમ ભેગા માનવાથી...... ૧) ઉદયાત્ ચૌદસની વિરાધના થતી નથી. “ઉદયશ્મિ' શાસ્ત્રવચન પ્રમાણે ચૌદસની આરાધના થાય છે અને ૨) “ક્ષયે પૂર્વાતિથિ કાર્યા.’ પ્રઘોષ પ્રમાણે ક્ષય એવી પૂનમની આરાધના પૂર્વતિથિ ચૌદસમાં થઈ જાય છે. તેથી પ્રઘોષ પ્રમાણે આરાધના કરવાથી, પ્રઘોષનું ઉલ્લંઘન થતું નથી. આમ ૨૭ પૃષ્ઠીય પત્રિકાકારે માત્ર કુતર્કો જ ક્યાં છે, તે સમજી શકાય છે. ૪) સાધુમર્યાદા પટ્ટકઃ (લેખક-પૂ. આ. શ્રી. આણંદવિમલ સૂરીશ્વરજી મહારાજા) સમય: વિક્રમ સં : ૧૫૮૩ બોલ નવમાં : બીજ, પાંચમ, આઠમ, અગ્યારસ, ચઉદસ, અમાવસ્યા પૂનમ એવં માસમાંહે ૧૨ દીન વિગઈ મ વહિરવી. બોલ દસમો : તિથિ વાઘઈ તિહાં એક દિન વિગઈ ન વહિરવી (નોંધ : ઉપરોક્ત પટ્ટકમાં પણ ચૌદસ આદિ પર્વ તિથિઓની વૃદ્ધિ સ્વીકારીને જ દસમો બોલ આપ્યો છે.) પS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy