SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ જાણવા. બે-ત્રણ આદિ કલ્યાણક દિવસો વિશેષ જાણવા. આગમમાં પણ શુભ આયુષ્યના બંધના હેતુ આદિ વડે પર્વતિથિની આરાધનાનું મહાલ બતાવ્યું છે. ટિપ્પણી : ઉપરોક્ત શાસ્ત્રવચન ફરમાવે છે કે (૧) સૂર્યોદય સમયે જે તિથિ હોય તે જ પ્રમાણ કરવી. (૨) જ્યારે તિથિની ક્ષય – વૃદ્ધિ હોય ત્યારે ‘ક્ષયે પૂર્વા.' અપવાદ સૂત્રરૂપ પ્રઘોષનો આશરો લઇ તિથિના ક્ષયમાં પૂર્વની તિથિ ગ્રહણ કરવી. અને તિથિની વૃદ્ધિમાં ઉત્તરની તિથિ ગ્રહણ કરવી. (૩) જૈનાગમ અને અન્યદર્શનોના પારાશરસ્મૃતિ આદિ શાસ્ત્રોમાં સૂર્યોદય સમયની તિથિની પ્રમાણતા સ્વીકારાઇ છે. તેથી તિથિની આરાધના અંગે ઔદયિક તિથિ જ ગ્રહણ કરવાનો સર્વનો સામાન્ય નિયમ બન્યો. (૪) ‘ઉદ્દયાત્ તિથિ’ અંગેનો નિયમ એકસરખી રીતે સર્વદર્શનોને માન્ય હોય, તો જૈન પંચાંગના અભાવમાં લૌકિક પંચાંગોને એકાંતે અપ્રમાણભૂત ગણાય ? અન્ય દર્શનીઓમાં જે કંઇ સારું છે, તે આપણા દર્શનના અંશો જ છે ને ? (૫) પૂ. વાચક પ્રવરશ્રી ઉમાસ્વાતિજી મહારાજાના સત્તાસમય પૂર્વે પર્યાપર્વ તિથિઓની ક્ષયવૃદ્ધિ આવતી હશે, ત્યારે જ અપવાદસૂત્રરૂપ પ્રઘોષ આપ્યો હશે ને ? વાચકો જરૂર વિચારે. (આ સંદર્ભમાં પરિશિષ્ટ ૧ પણ જોવું.) (૬) શ્રીવીર નિર્વાણ કલ્યાણકની આરાધના લોક દિવાળીએ કરવાની, આ પણ અપવાદસૂત્ર છે અને વિશિષ્ટ આજ્ઞા છે. (૭) ભગવાનના જન્માદિ પાંચ કલ્યાણકો પણ પર્વતિથિરૂપ છે. (૮) ચૌમાસી, પાક્ષિક, પંચમી, અષ્ટમી સંવત્સરીની આરાધનામાં તથા પ્રતિષ્ઠા - દીક્ષાદિ શુભકાર્યોમાં ‘ઉદયાત્ તિથિ’ જ પ્રમાણભૂત છે. (૩) હીરપ્રશ્નોત્તરાણિ (તિથિવિષયક પ્રશ્નોત્તરી) ઉત્તરદાતા : અકબર બાદશાહ પ્રતિબોધક જગદ્ગુરુ શ્રી હીરવિજ્ય સૂરીશ્વરજી મહારાજા Jain Education International પર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy