SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૯) થયેલ પાઠ હોય તે સ્વાભાવિક છે. (સિદ્ધચક્ર વર્ષ-૪, અંક-૧૦, પૃષ્ઠ-૨૩૨) (પૂનમના ક્ષયે ચૌદસ-પૂનમ ભેગા થઈ જાય તો પૌષધ-પ્રતિક્રમણ આદિ આરાધના જે બે દિવસની હતી તેનું શું ? આનો જવાબ પૂ. સાગરજી મહારાજા જ આપે છે....) ‘પાક્ષિક દિવસને અંગે ઉપવાસ, ચાતુર્માસિક દિવસને અંગે છઠ્ઠ અને સંવત્સરી દિવસને અંગે અક્રમનું તપ કરવું જરૂરી છે, પણ પૌષધ એકી સાથે ઉચ્ચરી શકાય નહિ. (સિદ્ધચક્ર વર્ષ-૧૪, અંક-૧૬, પૂ. ૩૮૪) (નોંધ-એટલે બે દિવસ આરાધના કરી શકાય નહીં પણ બંને દિવસની આરાધના એક જ દિવસમાં સમાઈ જાય છે.) (નોંધ-પૂ. સાગરજી મહારાજશ્રીના ઉપરોક્ત ખુલાસાથી સ્પષ્ટ થાય છે કે-આવા પૂનમ-અમાવાસ્યાના ક્ષય કે વૃદ્ધિના પ્રસંગે તપ આદિ ગમે તે રીતે કરીને વાળી શકાય છે.) ૧૦) (પૂનમ કે અમાવાસ્યા બે હોઈ શકે જ કેમ ? પૂનમની કે અમાવસ્યાની ક્ષય-વૃદ્ધિ પૂર્વકાલમાં જાળવામાં આવી નથી, તે જ રીતે પાંચમનો ક્ષય કેમ હોય ? તેમજ તેની વૃદ્ધિ કેમ હોઈ શકે ? ને આમ જ જો પૂનમ કે અમાવાસ્યાનો ક્ષય હોય તો ચૌદસ પૂનમનો છઠ્ઠ કરવો હોય તો કેમ થાય ? – આવી બધી શંકાઓનું સમાધાન પૂ. સાગરજી મહારાજા જ આપે છે ?) પ્રશ્ન : ૧૬૧ ‘‘પર્યુષણાની થોયમાં વડાકલ્પનો છઠ્ઠ કરીને” એ વગેરે વાક્યો આવે છે. તો કલ્પસૂત્રના દહાડે છઠ્ઠનો બીજો ઉપવાસ આવવો જ જોઈએ, એવી રીતે કરવો જોઈએ એમ ખરૂં કે ? અને આ વર્ષમાં (વિ. સં. ૧૯૯૧માં) છઠ્ઠ ક્યારે કરવો ? સમાધન : શ્રીહીરસૂરિજી મહારાજે અને શ્રીકીર્તિવિજયજી મહારાજે સંગ્રહીત કરેલા હીરપ્રશ્નોત્તરમાં ચતુર્દશી આમાવસ્યા કે પ્રતિપદ (પડવા) આદિની વૃદ્ધિમાં છ કયારે કરવો ? એવા પ્રશ્નનો ઉત્તર ચોખ્ખા શબ્દથી જણાવે છે કે, ‘પર્યુષણા કલ્પ સંબંધી છઠ્ઠ કરવામાં કોઈપણ તિથિઓના નિયમને માટે આગ્રહ કરવો નહિ, અર્થાત્ બે ચૌદસો હોય તો બીજી ચૌદસનો પણ છઠ્ઠ થાય છે. બે અમાવસ્યા હોય તો તેરસ ચૌદસનો છઠ્ઠ કરી (પહેલી અમાવાસ્યાએ પારણું કરીને) બીજી અમાવાસ્યાએ અકેલો ઉપવાસ કરવો અને બે પડવા હોય તો પણ તેરસ ચૌદસનો Jain Education International ૪૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy