SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૭) (પૂ. ઝવેરસાગરજી મ. નું હેન્ડબીલ) શ્રી હરિપ્રશ્નમેં પિણ કહ્યા હૈ કિ જો પર્યુષણકા પિછલી ચાર દિવસ મેં તિથિકા ક્ષય આયે તો ચતુર્દશીથી કલ્પસૂત્ર વાંચણા, જો વૃદ્ધિ આવે તો એકમથી વાંચણા. એથી પણ માલુમ હુવા કિ જિમ તિથિ કો હાનિ-વૃદ્ધિ આવે તો તેમજ કરણી વાસ્તુ અબ કે પર્યુષણમેં એકમ દુજી ભેગી કરણી. (નોંધ : એકતિથિપક્ષના પ્રણેતા પૂ.આ.શ્રી. સાગરાનંદ સૂરિજીના ગુરૂદેવ પૂ.મુ.શ્રી. ઝવેરસાગરજી મ. ના આ જાહેર પત્રથી એ સાબિત થાય છે કે, “વિ.સં. ૧૯૩૫ ની સાલ સુધી તપાગચ્છમાં પણ એ રીતે સ્પષ્ટ પ્રરૂપણા ને પ્રવૃત્તિ હતી કે ભાદરવા સુદિ ૧ થી માંડી ભાદરવા સુદિ-૪ સુધીમાં પર્યુષણ દરમ્યાન જો કોઈપણ તિથિની હાનિ-વૃદ્ધિ ન હોય તો શ્રાવણ સુદ-૧૨ થી ભાદરવા સુદિ૪ સુધીના આઠે દિવસનો કાર્યક્રમ પર્યુષણ નિમિત્તે કાયૉ કરવાનો જે રીતે નિયત હતો, તે રીતે તે તે આરાધના કરાતી હતી. આ વિ.સં. ૨૦૬૧ ની સાલમાં પણ શ્રાવણ વદિ ૧૨ થી ભાદરવા સુદ-૪ સુધીમાં કોઈપણ તિથિની ક્ષય-વૃદ્ધિ છે જ નહિ, તો પછી ભાદરવા સુદ-૫ ની જ વૃદ્ધિમાં પર્યુષણાના આઠ દિવસોમાં ફેરફાર કરવો કેટલા ઉચિત છે, તે વાચકો સ્વયં વિચારે. પાડાનાં વાંકે પખાલીને દંડની જેમ પાંચમની વૃદ્ધિએ પજુસણના દિવસોને દંડ આપવારૂપ ત્રીજની વૃદ્ધિ કરવી. કેટલી ઉચિત છે?) ૮) ચૌદસનો અન્ય તિથિઓથી વધુ મહિમા : પ્રશ્ન : દરેક શાસ્ત્રોમાં શ્રાવકોના વર્ણનમાં “વ૩૬મુદિ પુનિરિણું" એવો પાઠ આવે છે, તો આ અનુક્રમ પૂર્વાનુપૂર્વી કે પ્રસ્થાનુપૂર્વીના ક્રમથી ભિન્ન હોવાનું કારણ શું? સમાધાન : આ અનુક્રમના ભેદનું કારણ વ્યાખ્યાકારો એ સ્પષ્ટ કર્યું નથી, છતાં આ જણાવેલી માસિક તિથિઓમાં આઠમ અમાવસ્યા કે પૂર્ણિમા કરતાં ચતુર્દશીનું અધિકપણું-અભ્યહિતપણું હોવું જોઈએ. તે જો એમ ન હોત તો અલ્પ સ્વરવાલી અષ્ટમી અને ઉદ્દિષ્ટા-શબ્દથી અમાવાસ્યા કરતાં ચતુર્દશીને પહેલાં મૂત જ નહિ, અને ક્રમની અપેક્ષાએ આઠમને પહેલી ન લેતાં ચૌદશને પહેલાં લેત નહિ, એટલે આ ઉપરથી માની શકાય કે આઠમ (પૂનમ-અમાવાસ્યા) આદિ તિથિઓ કરતાં ચૌદશની અધિક માન્યતા હોવી જ જોઈએ અને હમેશાં પાક્ષિક તો ચતુદર્શીનું હોવાથી આ રીતે ચતુર્દશીની પ્રાધાન્યતાને જણાવનાર ચતુર્દશીથી શરૂ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy